શ્રીલંકામાં હુમલા વખતે માંડ માંડ બચ્યા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા

04 May, 2019 06:18 PM IST  |  મુંબઈ

શ્રીલંકામાં હુમલા વખતે માંડ માંડ બચ્યા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા

File Photo

શ્રીલંકામાં 21 એપ્રિલે થયેલા સિરિયલ બ્લાસ્ટે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. આ હુમલામાં લગભગ 250 લોકોના મોત થયા હતા, તો 500 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ભયાનક આતંકી હુમલા સમયે બોલીવુડની એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનો માંડ માંડ બચાવ થયો છે. આ વાતનો ખુલાસો ખુદ શિલ્પા શેટ્ટીએ કર્યો છે.

 તાજેતરમાં જ મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન શિલ્પા શેટ્ટીએ આ ખુલાસો કર્યો. એક લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન શિલ્પા શેટ્ટીએ શ્રીલંકા બ્લાસ્ટ પર પોતાની લાગણી વ્યક્ત કરી. શિલ્પાએ કહ્યું,'મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રત્યે મારી સહાનૂભૂતિ છે. આ અનુભવ ખૂબ જ ભયાનક હતો. પરંતુ સૌથી વધુ ડર લાગે તેવી ઘટના એ હતી કે જ્યારે હુમલા થયા ત્યારે રાજ કુંદ્રા ત્યાંની જ એક હોટેલમાં હતા. જો કે ભગવાનની કૃપાથી તેઓ બચી ગયા.'

 

શિલ્પાએ કહ્યું કે હજી સુધી આ વાત મેં કોઈને કહી નથી. પરંતુ આ ઘટના એ વાતની સાબિતી છે કે જિંદગીનો કોઈ ભરોસો નથી. અમે ખુશકિસ્મત છીએ કે રાજ અને તેના ફ્રેન્ડઝને કશું ન થયું. પરંતુ હું એ લોકોનું દર્દ સમજી શકું છું જેમના પરિવારમાંથી કોઈનું મૃત્યુ થયું છે.

આ પણ વાંચોઃ બોલીવૂડની અભિનેત્રીઓ જે ઓનસ્ક્રિન કિસ કરવા કરે છે ઈનકાર

વર્ક ફ્રંટની વાત કરીએ તો હાલ શિલ્પા શેટ્ટી સ્ટાર પ્લસના રિયાલિટી શો સુપર ડાન્સરમાં જજ તરીકે દેખાઈ રહ્યા છે. પરંતુ શિલ્પા શેટ્ટી લાંબા સમયથી બોલીવુડની ફિલ્મો નથી કરી રહ્યા . જો કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. 

shilpa shetty raj kundra bollywood terror attack