12 October, 2020 05:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શેખર સુમન
સુશાંત સિંહ રાજપૂતનું ગળું દબાવીને તેને મારી નાખવામાં આવ્યો હતો એવી કહેવાતી થિયરી વિશે શેખર સુમને અલગ જ પ્રતિભાવ આપ્યો હતો. મેડિકલ ટેસ્ટ મુજબ સુશાંતનું મૃત્યુ સુસાઇડ હતું એમ કહેવામાં આવ્યું છે. જોકે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે તેનું ગળુ દબાવીને મારી નાખવામાં આવ્યો હતો. શેખર સુમને તેના અનવેરિફાઇડ ટ્વિટર અકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું હતું કે ‘સુશાંતના કેસને પણ મૃત્યુને ઘાટ લાવવામાં આવ્યો છે. એસ્ફિક્સિયા? કે પછી ઐસે ફિક્સ કિયા?’