04 July, 2020 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સરોજ ખાને છેલ્લે ઇન્સ્ટાગ્રામ પર સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી હતી. સુશાંતે 14 જૂને સુસાઇડ કર્યું હતું. ત્યાર બાદથી બૉલીવુડમાં હજી પણ લોકો એને યાદ કરે છે.
સુશાંતનો ફોટો શૅર કરીને સરોજ ખાને કૅપ્શન આપી હતી કે ‘મેં કદી પણ તમારી સાથે કામ નથી કર્યું પરંતુ આપણી મુલાકાત અનેક વખત થઈ હતી. તારી લાઇફમાં એવું તે શું ખોટું થયું? હું શૉકમાં છું કે તેં આવું ભયાનક પગલું કેમ લીધું? તારે તારા વડીલોની સાથે ચર્ચા કરવી જોઈતી હતી. તેઓ કદાચ તારી મદદ કરી શક્યા હોત જેથી અમે તને ખુશ જોઈ શક્યાં હોત. ગૉડ બ્લેસ યૉર સોલ. તારા પિતા અને તારી બહેનોની શું સ્થિતિ હશે એની કલ્પના પણ નથી કરી શકતી. આ કપરી ઘડીમાં તેમને સાંત્વના અને સ્ટ્રેંગ્થ મળે એવી પ્રાર્થના કરું છું. તારી દરેક ફિલ્મમાં મને તું ખૂબ ગમ્યો છે. તને હંમેશાં પ્રેમ કરતાં રહીશું. RIP.’