સુશાંત સિંહ રાજપૂતની બેવફાઈને લીધે સારા અલી ખાને કર્યું હતું બ્રેકઅપ

29 September, 2020 06:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂતની બેવફાઈને લીધે સારા અલી ખાને કર્યું હતું બ્રેકઅપ

સુશાંત સિંહ રાજપૂત, સારા અલી ખાન

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસ તરફથી ડ્રગ્સ કેસની તપાસ તરફ વળેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ શનિવારે અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan)ની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન અભિનેત્રીએ કબુલ્યુ છે કે, તે અભિનેતાને ડેટ કરતી હતી અને તેણે શા માટે તેણે સુશાંત સાથે બ્રેકઅપ કર્યું હતું તે પણ કહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સારાએ જણાવ્યું કે, તે પોતાની ડેબ્યુ ફિલ્મ 'કેદારનાથ'ના શૂટિંગ દરમ્યાન સુશાંત સાથે રિલેશનમાં આવી હતી. જોકે અમુક મહિના પછી એટલે કે જાન્યુઆરી 2019માં તેઓ અલગ થઇ ગયા.

અહેવાલો અનુસાર સારા અલી ખાને, NCBને જણાવ્યું કે ડેબ્યુ ફિલ્મ 'કેદારનાથ'ના શૂટિંગ દરમ્યાન સુશાંત સાથે રિલેશનમાં આવી હતી. ફિલ્મના શૂટિંગ દરમ્યાન તે સુશાંતના કેપ્રી હાઉસ સ્થિત ઘરે તેની સાથે રહેવા પણ ગઈ હતી. તેના જણાવ્યા મુજબ, તે સુશાંત સાથે પાંચ દિવસ માટે થાઈલેન્ડના કોહ સમુઈ આયલેન્ડ પર પણ ગઈ હતી જ્યાં તેમણે પાર્ટી કરી હતી.આ દરમ્યાન એક્ટ્રેસે દાવો કર્યો કે, 'કેદારનાથ'ના શૂટિંગ દરમ્યાન સુશાંત ડ્રગ્સ લેતો હતો. તે સુશાંત સાથે પાર્ટીમાં જતી હતી પણ તેણે ક્યારેય ડ્રગ્સ લીધા ન હતા.

સારા અલીખાને પૂછપરછમાં એમ પણ કહ્યું હતું કે, સુશાંત સાથે તેણે તેની બેવફાઈને લીધે બ્રેકઅપ કર્યું હતું.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂત સારા અલી ખાનને જાન્યુઆરી 2019માં પ્રપોઝ કરવાનો હતો

થોડા દિવસ પહેલાં સુશાંત સિંહ રાજપૂતના ફાર્મહાઉસના મેનેજર રહેલા રઈસે દાવો કર્યો હતો કે સુશાંત સારા અલી ખાનને પ્રપોઝ કરવાનો હતો.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput sara ali khan