સંજય ગોરડિયા ફરી લઈ આવ્યા બૈરાઓનો બાહુબલી

14 February, 2021 04:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય ગોરડિયા ફરી લઈ આવ્યા બૈરાઓનો બાહુબલી

કોરોનાકાળના લૉકડાઉન પછી જેમ-જેમ બધું અનલૉક થતું ગયું એમ વિદેશમાંથી સંજય ગોરડિયાને તેમના નાટક ‘બૈરાઓનો બાહુબલી’ માટે ઇન્ક્વાયરી આવવા લાગી. છેલ્લા ૧૦ મહિના સુધી લોકો ઓટીટી પ્લૅટફૉર્મ પર ફક્ત અને ફક્ત ક્રાઇમ બેઝ વેબ-સિરીઝ અને ફિલ્મ જોઈને કંટાળ્યા હતા. તમામ લોકોને મુક્ત રીતે હસી શકે એવા મનોરંજનની જરૂર હતી, પણ સંજય ગોરડિયાએ નક્કી કર્યું કે તેમના મનોરંજન પર સૌથી પહેલો અધિકાર હોય તો એ તેમની કર્મ અને જન્મભૂમિ મુંબઈના પ્રેક્ષકોનો. આથી તેઓ આવી રહ્યા છે તેમનું નાટક લઈને બોરીવલીના પ્રબોધન ઠાકરે હૉલમાં. આ નાટક પરથી ગુજરાતી ફિલ્મ પણ હવે બનવાની છે. ૧૪ ફેબ્રુઆરીએ પ્રબોધન ઠાકરે બોરીવલીમાં ‘બૈરાઓનો બાહુબલી’ રજૂ થશે.

entertainment news Sanjay radia