સંજય દત્ત દીકરીના BFના મૃત્યુ પછી પણ નહીં જાય દીકરીને મળવા?

12 July, 2019 01:42 PM IST  |  મુંબઈ ડેસ્ક

સંજય દત્ત દીકરીના BFના મૃત્યુ પછી પણ નહીં જાય દીકરીને મળવા?

સંજય અને ત્રિશલા દત્ત (ફાઇલ ફોટો)

સંજય દત્તની દીકરી ત્રિશલા દત્તના બૉયફ્રેન્ડનું હાલમાં જ 2 જુલાઈના મૃત્યુ થઈ ગયું. આ દુઃખદ ઘટના બાદ ત્રિશલાને ખૂબ જ આઘાત લાગ્યો છે અને તેણે પોતાના બૉયફ્રેન્ડ માટે એક ભાવુક સંદેશ પણ લખ્યો. મળતી માહિતી પ્રમાણે ત્રિશલા પોતાના ઇટાલિયન બૉયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં હતી. હવે તેના વિશે નવી ચર્ચા એ છે કે ત્રિશલાના પિતા સંજય દત્ત તેને આશ્વાસન આપવા અમેરિકા નહીં જાય.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એ માહિતી છે કે સંજય દત્ત પોતાની દીકરીને મળવા અમેરિકા નહીં જાય. કહેવામાં આવી રહ્યું છે કે સંજય દત્તના પરિવારમાં ત્રિશલાની અવગણના કરવામાં આવી છે. શરૂઆતથી જ ત્રિશલાની અવગણના કરવામાં આવી હતી. હકીકતે સંજય દત્તના એક નજીકના મિત્ર પાસેથી માહિતી મળી છે કે સંજય માટે ત્રીજી પત્ની માન્યતા દત્ત અને બે બાળકો જ પરિવારનો ભાગ છે. ત્રિશલા સંજય માટે ભૂતકાળનો એક ભાગ છે. જ્યારે રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત સંજય દત્ત પર બનેલી બાયોપિક ફિલ્મ સંજૂમાં પણ ત્રિશલાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તે સમયથી જ સંજય અને ત્રિશલાને લઈને ચર્ચાઓ થઈ હતી.

નવેમ્બર 2016માં સંજય દત્તે પોતાની દીકરી ત્રિશલાની તસવીર શેર કરી હતી. જણાવીએ કે બૉયફ્રેન્ડના મૃત્યુ પછી ત્રિશલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ પ્રાઇવેટ કરી લીધું હતું.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

જણાવીએ કે, સંજય દત્તની પહેલી પત્ની ઋચા દત્તની દીકરી છે ત્રિશલા. લગ્ન બાદ અમુક વર્ષમાં સંજય દત્ત અને ઋચા દત્ત જુદા થઈ ગયા હતા. ત્યાર પછી ત્રિશલા માતા ઋચા સાથે અમેરિકા ગઈ હતી. ત્રિશલાએ બૉયફ્રેન્ડના મૃત્યુ પછી સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેનું દુઃખ છલકાતું હતું.

bollywood bollywood news bollywood events bollywood gossips sanjay dutt