સંજય દત્તે કામમાંથી લીધો નાનકડો બ્રેક, અભિનેતાની તબિયત નથી સારી

11 August, 2020 06:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સંજય દત્તે કામમાંથી લીધો નાનકડો બ્રેક, અભિનેતાની તબિયત નથી સારી

સંજય દત્ત અને સોશ્યલ મીડિયા પર તેણે કરેલી પોસ્ટ

અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt)એ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેતાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું છે કે, તેની તબિયત સારી નથી અને તે કામમાંથી બ્રેક લે છે. આ પોસ્ટ પછી ફૅન્સે દુઆઓ માંગવાનું ચાલુ કરી દીધું છે.

સંજય દત્તે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, 'હેલો દોસ્તો, મેડિકલ ટ્રીટમેન્ટ માટે હું શોર્ટ બ્રેક લઈ રહ્યો છું. મારા મિત્રો અને પરિવારના સભ્યો મારી સાથે છે. તેમજ હું ઈચ્છું છું કે, મારા ચાહકો ચિંતા ન કરે અને બિનજરૂરી અટકળો પણ ન ઉભી કરે. તમારા પ્રેમ અને પ્રાર્થનાઓને કારણે હું જલ્દી પાછો આવીશ.'

તમને જણાવી દઈએ કે, આઠ ઓગસ્ટના રોજ અભિનેતા સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ પડતા લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટીવ આવ્યો હતો. ત્યારવબાદ બે દિવસ પછી તેમને રજા આપવામાં આવી હતી. હાલમાં સંજય દત્ત મુંબઇમાં એકલા જ રહે છે. તેમની પત્ની માન્યતા અને બન્ને બાળકો ઇકરા અને શાહરાન માર્ચમાં લૉકડાઉન લાગ્યા પછીથી દુબઈમાં જ છે. જો કે, ફોન કૉલ અને ઓનલાઇન વીડિયો કૉલિંગ દ્વારા તે સતત તેમના સંપર્કમાં છે.

સંજય દત્તની ફિલ્મ 'સડક 2' 28 ઓગસ્ટે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલિઝ થવાની છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sanjay dutt social networking site