હું પદ્મશ્રી સન્માનનો હકદાર નથી, પાછો આપવા માંગુ છું: સૈફ અલી ખાન

14 May, 2019 08:52 PM IST  |  મુંબઈ

હું પદ્મશ્રી સન્માનનો હકદાર નથી, પાછો આપવા માંગુ છું: સૈફ અલી ખાન

હું પદ્મશ્રી સન્માનનો હકદાર નથી, પાછો આપવા માંગુ છું: સૈફ અલી ખાન

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાને અરબાઝ ખાન સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે તેઓ રાષ્ટ્રીય પુરસ્કાર પામવાના હકદાર નથી અને તે આ સન્માન ભારત સરકારને પાછું આપવા માંગે છે. આ મામલે તેમણે કહ્યું કે તેમણે પદ્મશ્રી જેવું સન્માન ખરીદ્યુ નથી કારણ કે પદ્મશ્રી ખરીદવું કોઈના પણ માટે સંભવ નથી. તે ખૂબ જ મોંઘું હશે. એનો સીધો અર્થ ભારત સરકારને લાંચ આપવી એવો થશે. જેની તેની હેસિયત નથી.

આ પણ વાંચોઃ અલી અબ્બાસ ઝફરની વેબ-સિરીઝમાં જોવા મળશે સૈફ અલી ખાન ?

સૈફ અલી ખાને એવું પણ કહ્યું કે પદ્મશ્રી સન્માન તેમણે નહોતું લેવું જોઈતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક એવા લોકો છે, જેઓ આ સન્માન પામવાના હકદાર છે. સૈફ અલી ખાન કહે છે કે પદ્મ શ્રી પુરસ્કાર તેમનાથી પણ સીનિયર એવા અનેક કલાકારોને નથી મળ્યો. સૈફ અલીખાને એવું પણ કહ્યું કે એ તેમના માટે શરમની વાત છે કે આ સન્માન કેટલાક એવા લોકોને પણ મળ્યું છે જે તેમનાથી ઓછા સક્ષમ છે. સાથે જ હવે તેઓ આ પુરસ્કાર ભારત સરકારને પાછો આપવા માંગે છે. જ્યારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહ્યા હતા. ત્યારે તેમના પિતાએ તેમને કહ્યું હતું કે તું એ સ્થિતિમાં નથી કે તું આ સન્માનને ના પાડી શકે. જે બાદ તેમણે આ પુરસ્કાર સ્વીકાર્યો.

saif ali khan