સઈ માંજરેકર મુંબઈ આતંકવાદી હુમલા પર આધારિત ફિલ્મ મેજરમાં દેખાશે

25 September, 2020 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સઈ માંજરેકર મુંબઈ આતંકવાદી હુમલા પર આધારિત ફિલ્મ મેજરમાં દેખાશે

સઈ માંજરેકર

2008ની 26 નવેમ્બરે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા પર આધારિત ફિલ્મ ‘મેજર’માં સઈ માંજરેકર જોવા મળશે. આ ફિલ્મ હિન્દી અને તેલુગુમાં બનવાની છે. હુમલા દરમ્યાન જે બહાદુરીથી આપણા સૈનિકોએ સૌની રક્ષા કરી હતી એ સ્ટોરીને ફિલ્મમાં દેખાડવામાં આવશે. મેજર સંદીપ ઉન્નીક્રિષ્નનની વીરતાને આ ફિલ્મમાં દેખાડવામાં આવશે. તેમને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ટૂંક સમયમાં જ સઈ પણ હૈદરાબાદમાં શૂટિંગ શરૂ કરશે. 2021માં ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મ વિશે સઈએ કહ્યું હતું કે ‘મારા માટે સ્ક્રિપ્ટ અને એ કૅરૅક્ટરની કેવી અસર પડશે એ વધુ મહત્ત્વ રાખે છે. તમે જ્યારે એ કૅરૅક્ટરની અંદર ડૂબી જાઓ છો તો એક ઍક્ટ્રેસ તરીકે ખૂબ જ સુંદર ઇમોશન્સ દેખાડી શકો છો. આ જ બાબત મેં ‘મેજર’માં જોઈ છે. આ જ કારણ છે કે જ્યારે મને આ ફિલ્મ ઑફર કરવામાં આવી તો મેં તરત જ એને હા પાડી.’

entertainment news bollywood bollywood news upcoming movie saiee manjrekar