10 September, 2019 07:46 PM IST | મુંબઈ ડેસ્ક
સંજય દત્ત, ઋષિ કપૂર
ન્યૂયોર્ક જતાં પહેલા ઋષિ અનુભવ સિન્હાની મુલ્ક ફિલ્મમાં દેખાયા હતા. તેની કમબૅક જે ફિલ્મથી થવાની છે તેનું નામ પંડિત ગલી કા અલી હોવાની ચર્ચા છે.
વેટરન એક્ટર ઋષિ કપૂર ન્યૂયૉર્કમાં કેન્સરની સારવાર કરાવ્યા પછી મુંબઇ પાછા આવી ગયા છે. તેમના મુંબઇ આવતાંની સાથે જ તેમની ફિલ્મની ચર્ચા શરૂ થઈ ગઈ છે, જેનાથી તે મોટા પડદા પર કમબૅક કરશે. આ ફિલ્મમાં સંજય દત્ત સાથે ઋષિ મુખ્ય પાત્ર ભજવશે.
ગયા વર્ષે કેન્સરની ખબર પડ્યા પછી ઋષિ કપૂર સારવાર માટે ન્યૂયોર્ક ચાલ્યા ગયા હતા. મંગળવાર સવારે ઋષિ કપૂર ભારત પાછા ફર્યા છે. એરપોર્ટ પર પત્ની નીતૂ સિંહ સાથે ઋષિ પોતાના જૂના અંદાજમાં દેખાયા. પાપારાઝીને સતત ફોટો લેતાં જોઈને ઋષિ કપૂર પોતાના જાણીતાં અંદાજમાં બોલ્યા, "બસ હો ગયા રે" ઋષિ પોતાના આ અંદાજ માટે જાણીતા છે અને કોઇપણ વાત કહેવામાં જરાપણ અચકાતાં નથી.
જોકે, ઋષિ કપૂરે ટ્વીટ કરીને પોતાના આવવાની સૂચના ચાહકો અને ફૉલોઅર્સને આપી છે. ઋષિ કપૂરે લખ્યું - "ઘરે પાછા આવી ગયા. 11 મહિના 11 દિવસ. બધાંનો આભાર."
ન્યૂયોર્ક જતાં પહેલા ઋષિ કપૂર અનુભવ સિન્હાની મુલ્કમાં દેખાયા હતા. તેના ન્યૂયોર્ક પ્રવાસ દરમિયાન તેમની એક વધુ ફિલ્મ ઝૂઠાં કહી કા રિલીઝ થઈ હતી, પણ આ શૂટિંગ ઋષિ કપૂર ન્યૂયોર્ક જતાં પહેલા પૂરી કરી ચૂક્યા હતા. તેથી પડદા પર તેમની કમબૅક જે ફિલ્મથી થઈ રહી છે, તેનું નામ પંડિત ગલી કા અલી છે એવું કહેવામાં આવી રહી છે.
આ પણ વાંચો : આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી
બોલીવુડ હંગામા પ્રમાણે, સંજય દત્તે પ્રસ્થાનમની પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન તે વાતનો ખુલાસો પણ કર્યો હતો પણ તેની આગામી ફિલ્મ ચિંટૂ સર સાથે હશે. આ ફિલ્મનું ડિરેક્શન સંજય પૂરન સિંહ કરશે. ઋષિ કપૂર અને સંજય દત્ત આ પહેલા અગ્નિપથમાં કામ કરી ચૂક્યા છે, જેમાં ઋષિ કપૂરે પહેલી વાર રઉફ લાલા નામનું નેગેટિવ પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં સંજય દત્ત કાંચા ચીનાના રોલમાં હતો. હ્રિતિક રોશન અને પ્રિયંકા ચોપરાએ મુખ્ય પાત્ર ભજવ્યા હતા.