સુશાંત સાથે છેલ્લી વખત થયેલી વાતોને યાદ કરતાં મુકેશ છાબરાએ કહ્યું...

20 July, 2020 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુશાંત સાથે છેલ્લી વખત થયેલી વાતોને યાદ કરતાં મુકેશ છાબરાએ કહ્યું...

સુશાંત સિંહ રાજપૂત, મુકેશ છાબરા

દિલ બેચારા’ના ડિરેક્ટર મુકેશ છાબરાએ સુશાંત સિંહ રાજપૂત સાથે છેલ્લી વખત થયેલી વાતોને યાદ કરતાં જણાવ્યું હતું કે કદાચ તે જાણી શક્યો હોત કે સુશાંતને શું તકલીફ હતી. સુશાંત અને મુકેશ બન્ને ખાસ ફ્રેન્ડ્સ હતા. સુશાંતે મુકેશને વચન આપ્યું હતું કે તે જ્યારે પણ ફિલ્મ બનાવશે તો તે એમાં અચૂક કામ કરશે. સુશાંતે એ વચન પૂરું પણ કર્યું. સુશાંતની આ ફિલ્મ છેલ્લી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ 24 જુલાઈએ ઑનલાઇન રિલીઝ થવાની છે. 14 જૂને સુશાંતે સુસાઇડ કરીને તેના ફૅન્સને ખૂબ મોટો આંચકો આપ્યો છે. સુસાઇડ કરવા પાછળનું કારણ હજી પણ અકબંધ છે. આ દિશામાં પોલીસે અનેક લોકોનાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કર્યાં છે. સુશાંત સાથે છેલ્લી વખત શું વાતચીત થઈ હતી એ યાદ કરતાં મુકેશે કહ્યું હતું કે ‘તેણે મારા બર્થ-ડે પર મને પર્સનલી કૉલ કર્યો હતો. અમે ઘણીબધી વાતો કરી હતી. 27 મેએ અમે ખૂબ ચૅટ પણ કરી હતી. તે હંમેશાં મને મારા બર્થ-ડે પર વિશ કરતો હતો. એથી તેણે કૉલ કર્યો હતો. લૉકડાઉનને કારણે અમે ઘણા સમયથી એકબીજાને મળી શક્યા નહીં. કદાચ હું જાણી શક્યો હોત કે તે તકલીફમાં હતો.’

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput mukesh chhabra