રવીનાની પાલઘરમાં મૃત્યુ પામેલા ડ્રાઇવરના પરિવારને મદદ કરવાની અપીલ

25 April, 2020 07:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવીનાની પાલઘરમાં મૃત્યુ પામેલા ડ્રાઇવરના પરિવારને મદદ કરવાની અપીલ

પાલઘરમાં હિન્દુ સાધુઓની હત્યામાં કારના ડ્રાઇવર નીલેશ તેલગડેનું પણ મૃત્યુ થયું હતું. એથી તેના પરિવારને મદદ કરવાની વિનંતી રવીના ટંડને લોકોને કરી છે. નીલેશ પર જ તેના કુટુંબનો આધાર હતો. તે પોતાની પાછળ વાઇફ, બે દીકરીઓ, વૃદ્ધ માતાને છોડીને ગયો છે. હાલ આ કુટુંબ નિસહાય બની ગયું છે. તેમનાં ભરણપોષણનો મોટો સવાલ ઊભો થયો છે. નીલેશનો ફોટો ટ્વિટર પર શૅર કરીને રવીનાએ ટ્વીટ કર્યું હતું કે ‘પાલઘરમાં જે હિંસક ઘટના ઘટી એમાં હિન્દુ સાધુઓની સાથે મૃત્યુ પામેલા ૨૯ વર્ષના ડ્રાઇવર નીલેશ માટે ફન્ડ જમા કરી રહ્યા છીએ. તેની બે નાની દીકરીઓ છે. મહેરબાની કરીને તમારાથી શક્ય હોય એટલી આ કુટુંબને મદદ કરો.’

entertainment news bollywood bollywood news bollywood gossips raveena tandon palghar