કોરોના નેગેટિવ થતાં સૌનો આભાર માન્યો રણવીર શૌરીએ

26 February, 2021 01:46 PM IST  |  Mumbai | Agencies

કોરોના નેગેટિવ થતાં સૌનો આભાર માન્યો રણવીર શૌરીએ

કોરોના નેગેટિવ થતાં સૌનો આભાર માન્યો રણવીર શૌરીએ

રણવીર શૌરીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં લોકોએ કરેલી પ્રાર્થના બદલ તેણે સૌનો આભાર માન્યો છે. થોડા દિવસો પહેલાં જ તેણે સોશ્યલ મીડિયામાં જણાવ્યું હતું કે તેને કોરોનાનું સંક્રમણ થયું છે અને સાથે એમ પણ કહ્યું કે તેને પોતાની બેદરકારીને કારણે જ કોરોના થયો છે. તે સેલ્ફ-ક્વૉરન્ટીન થયો હતો. હવે તેણે ટેસ્ટ કરાવતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ વિશે ટ્વિટર પર રણવીરે ટ્વીટ કર્યું હતું કે ‘મને એ જણાવતાં ખુશી થઈ રહી છે કે એક અઠવાડિયા સુધી ક્વૉરન્ટીન થયા બાદ અને યોગ્ય સારવાર બાદ મારો કોવિડનો ટેસ્ટ-રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમે બધાએ કરેલી પ્રાર્થનાઓ માટે આભાર.’

bollywood bollywood news bollywood ssips coronavirus ranvir shorey