શાહરુખને મળેલા પ્રેમનો ૧ ટકો પણ મને મળે તો મારું જીવન ધન્ય થઈ જાય : રણવીર

03 December, 2022 05:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણવીર સિંહનું કહેવું છે કે શાહરુખ ખાનને લોકોએ જેટલો પ્રેમ આપ્યો છે એનો એક ટકા જેટલો પ્રેમ પણ જો તેને મળે તો તેનું જીવન ધન્ય થઈ જાય.

રણવીર સિંહ

રણવીર સિંહનું કહેવું છે કે શાહરુખ ખાનને લોકોએ જેટલો પ્રેમ આપ્યો છે એનો એક ટકા જેટલો પ્રેમ પણ જો તેને મળે તો તેનું જીવન ધન્ય થઈ જાય. રણવીરની ‘સર્કસ’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે. શાહરુખે જ્યારે ફિલ્મોમાં તેની કરીઅર શરૂ કરી એ અગાઉ સિરિયલ ‘સર્કસ’માં તેણે કામ કર્યું હતું. એથી એની સાથે કનેક્ટ કરતાં તેને પૂછવામાં આવ્યું કે શું તે પણ એવી અપેક્ષા રાખે છે કે શાહરુખની જેમ તેની કરીઅર પણ ઊંચાઈએ પહોંચે. એનો જવાબ આપતાં રણવીરે કહ્યું કે ‘તેઓ આજે કિંગ ખાન નથી બન્યા. તેઓ ઘણાં વર્ષોથી કિંગ ખાન છે. મારું નામ તેમની સાથે જોડીને તમે મારી શોભા વધારી દીધી. હું તેમની ફિલ્મો જોતો હતો અને સપનાં જોતો હતો કે એક દિવસ હું પણ ઍક્ટર બનીશ. તેઓ અમારા આદર્શ છે. હિન્દી સિનેમામાં તેમનું યોગદાન અતુલનીય છે. તેમણે જે પ્રકારે લોકોનો પ્રેમ મેળવ્યો છે અને સામે એવો પ્રેમ પણ આપે છે. એને જોતાં લાગે છે કે એનો ૧ ટકા પણ મને મળી શકે તો હું માનીશ કે મારું જીવન ધન્ય થઈ ગયું.’

bollywood news ranveer singh Shah Rukh Khan