રણદીપ હૂડાની સર્જરી થયા બાદ તબિયતમાં સુધારો

27 August, 2020 05:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રણદીપ હૂડાની સર્જરી થયા બાદ તબિયતમાં સુધારો

રણદીપ હૂડા

બૉલીવુડ અભિનેતા રણદીપ હૂડા (Randeep Hooda)ને બુધવારે બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાના સમાચાર મળતાં જ ફૅન્સ ચિંતિત થઈ ગયા હતા. જોકે, ગુરુવારે અભિનેતાની સર્જરી કરાયા બાદ તબિયત સ્થિર હોવાના સમાચાર મળતા ફૅન્સે રાહતનો શ્વાસ લીધો છે. અત્યારે અભિનેતા અન્ડર ઓર્બ્ઝવેશનમાં છે.

એબીપીના અહેવાલ પ્રમાણે, અભિનેતા રણદીપ હુડાને પગમાં જ્યાં પહેલાં વાગ્યું હતું ત્યાં દુખાવો ઉપડયો હતો. તેને પગમાં પહેલાં જ્યા ફ્રેક્ચર થયું હતું ત્યાં જ અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો. પછી તેને બુધવારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની આજે એટલે કે ગુરુવારે સર્જરી કરવામાં આવી હતી. અત્યારે અભિનેતા અન્ડર ઓર્બ્ઝવેશનમાં છે. જોકે, રણદીપે મંગળવારે તેની ટીમને જણાવ્યું હતું કે, આગામી બે દિવસ તેને પોતાના માટે જોઈએ છે. પરંતુ તેણે કારણ જણાવ્યું નહોતું.

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, રણદીપ હુડાના પિતા જે ડૉક્ટર છે તેઓ પણ સર્જરી સમયે હૉસ્પિટલમાં હાજર હતા. એટલે તેઓ તેની હાલત વિશે વધુ માહિતી આપી શકે છે. જ્યારે રણદીપના બધા જ રિપોર્ટ આવી જશે ત્યારે તેઓ આ વિશે વધુ જણાવશે. રણદીપ નથી ઈચ્છતો કે ત્યાં સુધી બધા તેની માટે ચિંતા કરે.

સુત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, હૉસ્પિટલમાં દાખલ થતાની સાથે અન્ય ટેસ્ટની સાથે અભિનેતાનો કોરોના વાયરસ (COVID-19)નો ટેસ્ટ પણ કરવામાં અવાયો હતો. જે નેગેટીવ આવ્યો હતો. ત્યારબાદ સર્જરી કરવામાં આવી હતી. અત્યારે રણદીપની તબિયત સારી છે અને તેને એક બે દિવસમાં ડિસ્ચાર્જ આપવામાં આવશે.

આપણે પણ આશા રાખીએ કે રણદીપ હૂડા જલ્દી સાજો થઈને ઘરે પરત આવી જાય.

entertainment news bollywood bollywood news bollywood gossips randeep hooda breach candy hospital