02 April, 2019 11:54 AM IST |
રિશી કપૂર અને રણબીર કપૂર
રણબીર કપૂરનું કહેવું છે કે તેના પિતા રિશી કપૂર તેને પૂછતા રહે છે કે સારવાર બાદ તેમને ફરી ફિલ્મોમાં કામ મળશે કે નહીં. આ વાત રણબીરે એક અવૉર્ડ સેરેમનીમાં કહી હતી. ‘સંજુ’ માટે રણબીરને હાલમાં જ બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો હતો. આ અવૉર્ડ સ્વીકારતી વખતે રણબીરે કહ્યું હતું કે ‘આ અવૉર્ડ હું મારા જીવનના સૌથી સ્પેશ્યલ વ્યક્તિઓને સમર્પિત કરવા માગું છું. એની શરૂઆત હું મારા ડૅડીથી કરું છું. તેઓ હાલમાં થોડા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. મેં હંમેશાં સાંભળ્યું છે કે તમે જ્યારે પણ જીવનમાં ખરાબ સમયમાંથી પસાર થતા હો ત્યારે તમે એક વ્યક્તિ તરીકે કેવા છો એ ઓળખી શકો છો. મેં જ્યારે પણ તેમની સાથે વાત કરી છે, તેમણે હંમેશાં તેમની ફિલ્મો વિશે મારી સાથે વાતો કરી છે. તેમણે કેટલીક ફિલ્મો કેવી છે? આ ફિલ્મ કેવી ચાલી રહી છે? તારુ પર્ફોર્મન્સ કેવું હતું? તુ આ સીનમાં શું કરી રહ્યો છે? એવું તો ઘણું બધુ તેઓ મને પૂછે છે. તેઓ પોતાની અસલામતીને લઈને પણ સવાલ પૂછે છે. શું તેમને ફિલ્મોમાં કામ મળશે? શું લોકો તેમને ફિલ્મો ઑફર કરશે? શું તેઓ ફરીથી ફિલ્મોમાં કામ કરી શકશે?’
આ પણ વાંચોઃ સિને અવૉર્ડમાં રણબીર-આલિયાનો રોમાંસ
રણબીરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે તેને અવૉર્ડ આપ્યો હતો અને તેની સ્પીચ સાંભળીને તે પણ ઇમોશનલ થઈ ગઈ હતી.