બાહુબલીના 'ભલ્લાલદેવ'ને આ શું થઈ ગયું? તસવીરો જોઈ ચિંતામાં ચાહકો..

01 October, 2019 05:20 PM IST  |  મુંબઈ

બાહુબલીના 'ભલ્લાલદેવ'ને આ શું થઈ ગયું? તસવીરો જોઈ ચિંતામાં ચાહકો..

આ શું થયું રાણા દગ્ગુબાટીને!

પ્રભાસ સાથએ બાહુબલીમાં ભલ્લાલદેવનો કિરદાર નિભાવનારા રાણા દગ્ગુબાટી પોતાના એક ફોટોના કારણે ચર્ચામાં આવ્યા છે. રાણાનો એક નવો ફોટો સામે આવ્યો છે જેમાં તેઓ એટલા પાતળા લાગી રહ્યા છે કે તેને જોઈને ચાહકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. હંમેશા પોતાના ફિટ બૉડી માટે જાણીતા રાણા આ ફોટોમાં એટલા કમજોર લાગી રહ્યા છે કે માનો કોઈ ગંભીર બિમારીમાંથી બેઠા થયા હોય.

હાલમાં જ રાણાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં એક બ્રાન્ડનો તેઓ પ્રચાર કરતા નજર આવી રહ્યા છે. ફોટોમાં રાણા એટલા દુબળા લાગી રહ્યા છે કે કોઈ પણ તેમને જોઈને પરેશાન થઈ જશે. ચાહકો પણ તેમને જોઈને ચિંતામાં છે. કોઈ તેમને તેમની તબિયત વિશે પુછી રહ્યા છે તો કોઈ પુછી રહ્યું છે કે તેઓ આટલા પાતળા કેમ થઈ ગયા.


તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા અહેવાલો આવ્યા હતા કે રાણાએ અમેરિકામાં પોતાની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. જો કે બાદમાં એક્ટરે આ તમામ ખબરોનું ખંડન કર્યું છે. રાણાએ કહ્યું હતું કે એક પ્રોજેક્ટ માટે તેઓ અમેરિકા ગયા હતા. પરંતુ હવે તેમની આ તસવીરો જોઈને ચાહતો અંદાજો લગાવી રહ્યા છે.

આ પણ જુઓઃ આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

વક્ર ફ્રંટની વાત કરીએ તો રાણા જલ્દી જ અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મ હાઉસફુલ 4માં નજર આવશે. ટ્રેલરનું માનીએ તો આ ફિલ્મમાં રાણા જબરદસ્ત રોલમાં નજર આવશે.

rana daggubati baahubali