મહામારીને કારણે રાજીવ કપૂરના ચૌથાની પૂજા નથી રાખવામાં આવી : નીતુ કપૂર

11 February, 2021 11:50 AM IST  |  Mumbai | Agencies

મહામારીને કારણે રાજીવ કપૂરના ચૌથાની પૂજા નથી રાખવામાં આવી : નીતુ કપૂર

મહામારીને કારણે રાજીવ કપૂરના ચૌથાની પૂજા નથી રાખવામાં આવી : નીતુ કપૂર

નીતુ કપૂરે જણાવ્યું છે કે વર્તમાનમાં કોરોનાના કેરને જોતાં રાજીવ કપૂરના ચૌથાની પૂજા નથી રાખવામાં આવી. રાજ કપૂરના સૌથી નાના દીકરા હતા રાજીવ કપૂર. તેમનું હાર્ટ-અટૅકને કારણે મંગળવારે અવસાન થયું હતું. રાજીવ કપૂરના મોટા ભાઈ રિશી કપૂરનું ગયા વર્ષે એપ્રિલમાં નિધન થયું હતું. ચૌથાની વિધિ ન રાખવાની માહિતી રાજીવ કપૂરનો ફોટો શૅર કરીને ઇન્સ્ટાગ્રામ પર આપતાં નીતુ કપૂરે લખ્યું હતું કે ‘હાલમાં ચાલી રહેલી મહામારીને જોતાં લોકોની સલામતીનું ખાસ ધ્યાન રાખતાં સ્વર્ગીય રાજીવ કપૂરના ચૌથાની વિધિ નથી રાખવામાં આવી. તેમના આત્માને શાંતિ મળે. આખો રાજ કપૂર પરિવાર દુ:ખની આ ઘડીમાં સાથે છે.’

bollywood bollywood news bollywood ssips neetu kapoor rajiv kapoor