પુલવામાના હુમલા બાદ મણિકર્ણિકાની સક્સેસ પાર્ટી કૅન્સલ કરી કંગનાએ

16 February, 2019 11:31 AM IST  | 

પુલવામાના હુમલા બાદ મણિકર્ણિકાની સક્સેસ પાર્ટી કૅન્સલ કરી કંગનાએ

કંગના રનૌત

ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ કંગના રનોટે ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ની સક્સેસ પાર્ટીને કૅન્સલ કરી છે. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર સારો બિઝનેસ કર્યો છે. આ જ કારણ છે કે ફિલ્મની ટીમે એની સફળતા માટે પાર્ટી આયોજિત કરી હતી. પુલવામામાં થયેલા હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા છે. આ વિશે કંગનાએ કહ્યું હતું કે ‘પાકિસ્તાને આપણા દેશની સલામતી પર પ્રહાર કરવાની સાથે ભય અને દહેશત ફેલાવીને આપણા ગૌરવને ઠેસ પહોંચાડી છે. હવે સમય પાકી ગયો છે કે આપણે સખત પગલાં લેવાં જોઈએ નહીંતર આપણા મૌનને કાયરતા સમજવામાં આવશે.’

આ પણ વાંચોઃ બીજા દિવસે મણિકર્ણિકાએ રચ્યો ઈતિહાસ, કમાણીના તોડ્યા રેકોર્ડ

kangana ranaut terror attack bollywood