'ભારત' છોડવા મામલે પ્રિયંકાએ આપ્યો આ જવાબ, નિર્ણયથી સલમાન થયો હતો નારાજ

25 September, 2019 05:23 PM IST  |  મુંબઈ

'ભારત' છોડવા મામલે પ્રિયંકાએ આપ્યો આ જવાબ, નિર્ણયથી સલમાન થયો હતો નારાજ

આખરે પ્રિયંકાએ કેમ છોડી હતી ભારત?

બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હાલ પોતાની ફિલ્મ ધ સ્કાઈ ઇઝ પિંકનું પ્રમોશન કરી રહી છે. એ વાત તો તમામ લોકો જાણે છે કે આ ફિલ્મ સાથે પ્રિયંકા ત્રણ વર્ષ બાદ બોલીવુડમાં કમબેક કરી રહી છે. આ પહેલા તા સલમાન ખાન સાથે ફિલ્મ 'ભારત'માં નજર આવવાની હતી, પરંતુ છેલ્લે છેલ્લે તેણે આ ફિલ્મ છોડી દીધી હતી.  પ્રિયંકાના આ નિર્ણયથી સલમાન ખાન ખૂબ જ નારાજ હતા. અનેક વાર તેમણે આ નારાજગી જાહેર પણ કરી હતી.

હવે પ્રિયંકા ચોપરાએ પોતાના નિર્ણય પર મૌન તોડ્યું છે. હાલમાં જ મુંબઈ મિરર સાથેની વાતચીતમાં પ્રિયંકાએ કહ્યું કે, જો આ મામલે કોઈ પ્રતિક્રિયાની જરૂર હતી તો તે પહેલા જ મળી ચુક્યું છે. તો પણ હું કહેવા માંગીશ કે તે પહેલા જ મળી ચુક્યો છે. તો પણ હું કહેવા માંગીશ કે સલમાન ખાન કમાલ છે. મે હંમેશા તેમના વખાણ કર્યા છે. તેઓ મારા અને નિકના રિસેપ્શનમાં પણ આવ્યા હતા. તેઓ મારા ઘરે પણ ગયા હતા. એટલું જ નહીં હું તેમની બહેન અર્પિતાની પણ નજીક છું. એટલે અમારા વચ્ચે કોઈ સમસ્યા નથી.


તમને જણાવી દઈએ કે ફિલ્મ ભારતને ઈશારા ઈશારામાં નાચવા ગાવા વાળી ફિલ્મ જણાવી હતી. ધ સ્કાઈ ઇઝ પિંક માટે રાખવામાં આવેલી એક પાર્ટીમાં પ્રિયંકાએ ભારત છોડવાનું કારણ જણાવતા કહ્યું હતું કે, તમામ મને મારા નિર્ણય વિશે પુછે છે કે આખરે કેમ? આખરે કેમ મે આ નાચવા ગાવા વાળી અને મસાલા ફિલ્મને છોડી દીધી અને કેમ હું એક 18 વર્ષના બાળકની માતાનો કિરદાર નિભાવવા માટે માટે રાજી થઈ? કારણ કે મને સોનાલીનો આ ફિલ્મનો આઈડિયા પસંદ આવ્યો હતો એટલે મે ફિલ્મ માટે હા પાડી.

આ પણ જુઓઃ આવી રીતે શૂટ થયું પાર્થ ભરત ઠક્કરનું 'ટીચકી', જુઓ તસવીરો

Bharat Salman Khan priyanka chopra