‘​આદિપુરુષ’ને લીધે ‘સાલાર’ પણ થઈ જશે પોસ્ટપોન?

09 November, 2022 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આદિપુરુષ’નું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું ત્યારથી એ ફિલ્મને ટ્રોલ કરવામાં આવી રહી છે

પ્રભાસ

પ્રભાસની ‘આદિપુરુષ’ને પોસ્ટપોન કરવામાં આવી છે અને એને કારણે હવે ‘સાલાર’ પણ પોસ્ટપોન થશે એવી ચર્ચા છે. ‘આદિપુરુષ’નું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું ત્યારથી એ ફિલ્મને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ ફિલ્મના ગ્રાફિક્સને લઈને એની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી. આથી મેકર્સ એના ગ્રાફિક્સ પર ફરી કામ કરી રહ્યા છે. આ કારણસર ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી છે. આ ફિલ્મ પહેલાં જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે એને ૧૬ જૂને રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને કારણે હવે ‘સાલાર’ને પણ પોસ્ટપોન કરવામાં આવે એવી ચર્ચા છે. ‘સાલાર’ને પ્રશાંત નીલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જેની રિલીઝ-ડેટ ૨૮ સપ્ટેમ્બર રાખવામાં આવી હતી. જોકે જૂનમાં ​પ્રભાસની એક ફિલ્મ રિલીઝ થઈ રહી હોવાથી ‘સાલાર’ના મેકર્સ ટેન્શનમાં છે. તેઓ એક પછી એક પ્રભાસની ફિલ્મને રિલીઝ કરવી કે નહીં એના ટેન્શનમાં છે. જોકે આ વિશે હજી ચર્ચા વિચારણા ચાલી રહી છે. બને ત્યાં સુધી ફિલ્મને પોસ્ટપોન કરવાના ચાન્સ વધુ છે.
entertainment news bollywood news bollywood gossips bollywood prabhas upcoming movie