અનુરાગ કશ્યપ અંગે ઈરફાન પઠાનને જણાવ્યું હોવાનો પાયલ ઘોષનો દાવો

18 October, 2020 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનુરાગ કશ્યપ અંગે ઈરફાન પઠાનને જણાવ્યું હોવાનો પાયલ ઘોષનો દાવો

ઈરફાન પઠાન, પાયલ ઘોષ, અનુરાગ કશ્યપ

બૉલીવુડ અભિનેત્રી પાયલ ઘોષ (Payal Gosh)એ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો છે. તે સોશ્યલ મીડિયામાં સતત ફિલ્મમેકર વિરુદ્ધ ટ્વીટ કરતી રહે છે. હવે પાયલ ઘોષે એક નવો જ દાવો કર્યો છે. પાયલે હવે પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ (Irfan Pathan)ના નામનો ઉલ્લેખ કર્યો છે. પાયલના મતે તેણે અનુરાગ સાથે થયેલા વિવાદની વાત ઈરફાન પઠાણને કરી હતી.

પાયલ ઘોષે તાજેતરમાં ટ્વીટ કર્યું હતું કે, 'મેં ઈરફાન ખાનને એમ નહોતું કહ્યું કે અનુરાગ કશ્યપે મારી પર રેપ કર્યો હતો, પરંતુ તેની સાથે થયેલી વાતચીત અંગે બધું જણાવ્યું હતું. તેને બધી જ ખબર છે પરંતુ તે અત્યારે કંઈ જ બોલતો નથી. તે મારો સારો મિત્ર હોવાનો દાવો કરે છે.'

અન્ય એક ટ્વીટમાં પાયલે કહ્યું હતું કે, 'ઈરફાન પઠાણને ટૅગ કરવાનો અર્થ એ નથી કે મને તેનામાં રસ છે, પરંતુ મેં તેની સાથે દરેક વાતો શૅર કરી હતી. રેપવાળી વાત શૅર કરી નથી. મને વિશ્વાસ છે કે મેં તેને જે પણ વાત કહી છે, તે બધાને કહેશે.'

વધુ એક ટ્વીટમાં અભિનેત્રિએ લખ્યું છે કે, 'અમે ખાલી સારા મિત્રો જ નથી પણ હું તેની ફેમેલી ફ્રેન્ડ પણ હતી. જોઈએ હવે, દોસ્તી કોણ નિભાવે છે.'

પાયલે વર્ષ 2014નો એક કિસ્સો યાદ કરીને કહ્યું હતું, '2014માં હોળીના એક દિવસ પહેલા અનુરાગ કશ્યપે મને એક મેસેજ કર્યો હતો. તે ઈચ્છતો હતો કે હું તેને મળવા આવું. તે સમયે ઈરફાન મારા ઘરમાં જ હતો અને તેની સામે જ મેસેજ આવ્યો હતો. જોકે, મેં ઈરફાનને એમ કહ્યું હતું કે હું વિનીત જૈનના ઘરે જાઉં છું, અનુરાગના નહીં. આશા છે કે તેને આ બધું યાદ હશે.'

પાયલે 22 સપ્ટેમ્બરના રોજ વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ કર્યો હતો. અભિનેત્રીનો આક્ષેપ હતો કે કશ્યપે 2013માં વર્સોવામાં યારી રોડના એક લોકેશનમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. અનુરાગ કશ્યપ વિરુદ્ધ દુષ્કર્મ, ખોટો વ્યવહાર, ખોટા ઈરાદાને રોકવા તથા મહિલાનું અપમાન કરવાની કલમો હેઠળ કેસ કર્યો હતો. જોકે, પોલીસ પૂછપરછ દરમિયાન ફિલ્મમેકરે આ તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા.

entertainment news bollywood bollywood news bollywood gossips anurag kashyap irfan pathan