રાણા દગુબટ્ટી અને મિહીકા બજાજનાં લગ્નમાં માત્ર 30 લોકોને અપાશે આમંત્રણ

06 August, 2020 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાણા દગુબટ્ટી અને મિહીકા બજાજનાં લગ્નમાં માત્ર 30 લોકોને અપાશે આમંત્રણ

રાણા દગુબટ્ટી અને મિહીકા બજાજ 8 ઑગસ્ટે લગ્ન કરવાનાં છે ત્યારે માત્ર 30 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. હૈદરાબાદના રામાનાયડુ સ્ટેડિયમમાં તેમનાં લગ્ન થવાનાં છે. તેમણે મેમાં સગાઈ કરી લીધી હતી. કોરોનાને ધ્યાનમાં રાખતાં માત્ર નજીકનાં સગાંઓને જ ઇન્વાઇટ કરવામાં આવ્યાં છે. એ વિશે રાણા દગુબટ્ટીના પિતા સુરેશ બાબુએ કહ્યું હતું કે ‘લગ્નમાં 30 કરતાં વધુ લોકોને બોલાવવામાં નથી આવ્યા. માત્ર નજીકનાં સગાંઓને જ આમંત્રણ છે. અમે ક્લોઝ ફ્રેન્ડ્સ, ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીની બહારના લોકોને પણ નથી બોલાવ્યા. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એથી અમે નથી ચાહતા કે અમારા સેલિબ્રેશનને કારણે કોઈના સ્વાસ્થ્ય પર માઠી અસર પડે. એથી અમે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સેરેમની નાનકડી, પરંતુ સુંદર બનાવવામાં આવશે. જે લોકો પણ લગ્નમાં હાજરી આપશે તેમની કોરોનાની ટેસ્ટ કરવામાં આવશે. વેન્યુ પર સૅનિટાઇઝર રાખવામાં આવશે સાથે જ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. અમારા માટે આ ખુશીનો પ્રસંગ છે અને એને સલામત રાખવા માગીએ છીએ.’

entertainment news bollywood bollywood news bollywood gossips rana daggubati