હવે ફિલ્મો પ્રૉડ્યુસ કરશે કંગના, અયોધ્યા વિવાદ પર બનાવશે પહેલી ફિલ્મ

25 November, 2019 02:22 PM IST  |  Mumbai Desk

હવે ફિલ્મો પ્રૉડ્યુસ કરશે કંગના, અયોધ્યા વિવાદ પર બનાવશે પહેલી ફિલ્મ

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત ફિલ્મોમાં અભિનય બાગ હવે ફિલ્મો પ્રૉડ્યુસ કરવા માટે તૈયાર છે. મણિકર્ણિકા અભિનેત્રી કંગનાએ પોતાના પ્રૉડક્શન હાઉસની શરૂઆત કરી છે, જેથી તે ટૂંક સમયમાં જ ફિલ્મો પ્રૉડ્યૂસ કરશે. કંગનાના પ્રૉડક્શન હાઉસનું નામ છે 'મણિકર્ણિકા' અને આ પ્રૉડક્શન હાઉસની પહેલી ફિલ્મ 'રામ જન્મભૂમિ' મામલા પર આધારિત હશે, જેનું નામ 'અપરાજિતા અયોધ્યા' છે.

કંગનાના પ્રૉડક્શન હાઉસની પહેલી ફિલ્મમાં ભક્તિની ભાવનાને સેલિબ્રેટ કરવાની વાત કહેવામાં આવી રહી છે અને કંગનાની બહેન રંગોલીએ આ બાબતે ટ્વીટ પણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષથી શરૂ થશે અને હવે ટૂંક સમયમાં જ ફિલ્મની કાસ્ટને લઈને કામ શરૂ થઈ જશે. અયોધ્યા પર બનતી ફિલ્મ રામ જન્મભૂમિ મામલે તાજેતરમાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આધારિત હશે.

આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે હિંદૂ પક્ષકારોને વિવાદિત જમીન પર મંદિર બનાવવા માટે લીલીઝંડી આપી હતી, જ્યારે મુસ્લિમ સમુદાય માટે અલગથી 5 એકડ જમીન પર મસ્જિદ બનાવવા માટે કહ્યું હતું. કંગનાએ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હિંદુ-મુસ્લિમ એકતાને લઈને ટ્વીટ પણ કર્યું હતું. તેની સાથે જ કંગનાએ મુંબઇ મિરર સાથે વાતચીતમાં કહ્યું, 'રામ મંદિર ડિસ્પ્યૂટ ઘણાં વર્ષોથી ન્યૂઝમાં હતું, એક ચાઇલ્ડ જે 1980માં જન્મ્યો હશે તે અયોધ્યાનું નામ નેગેટિવ અંદાજમાં સાંભળતા મોટો થયો હશે, અયોધ્યા કેસે ઇન્ડિયન પૉલિટિક્સનો ચહેરો જ બદલી નાંખ્યો છે.'

આ પણ વાંચો : Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

જણાવીએ કે હાલ કંગનાની ફિલ્મ 'થલાઇવી'નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે, જે તામિલનાડૂની પૂર્વ મુખ્યમંત્રી સ્વ. જયલલિતાના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં કંગનાએ લૂક પર ઘણું કામ કર્યું છે. સાથે જ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે કંગના હવે પ્રૉડક્શન હાઉસ શરૂ કર્યા પછી ફિલ્મો પ્રૉડ્યૂસ કરવા પર વધારે ધ્યાન આપશે.

kangana ranaut bollywood bollywood news bollywood gossips