પ્રિયંકા ચોપરાના લગ્નમાં આ વાતની રહી ગઈ હતી કમી, સાસરિયાઓએ કર્યો કટાક્ષ

16 April, 2019 05:32 PM IST  |  મુંબઈ

પ્રિયંકા ચોપરાના લગ્નમાં આ વાતની રહી ગઈ હતી કમી, સાસરિયાઓએ કર્યો કટાક્ષ

શું કમી રહી ગઈ હતી પ્રિયંકા અને નિકના લગ્નમાં?(તસવીર સૌજન્યઃ પ્રિયંકા ચોપરા ઈન્સ્ટાગ્રામ)

વર્ષ 2018માં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે લગ્ન કર્યા હતા. આ લગ્નને શાહી અને ભવ્ય બનાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. તેમ છતાં એ લગ્નમાં એક વસ્તુ ખૂબ જ ઓછી પડી હતી અને તે હતો બીયર.

લગ્નને લઈને આ ખુલાસો નિક જોનાસના ભાઈ જો જોનાસે કર્યો છે. જો જોનાસ જલ્દી જ ગેમ ઑફ થ્રોન્સની અભિનેત્રી સોફી ટર્નર સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જેની તૈયારીઓને લઈને જો જોનાસે કહ્યું કે, પ્રિયંકા અને નિકના લગ્નમાં બિયરની કમી પડી હતી. પરંતુ અમારા લગ્નમાં એવું ન થાય તેનું અમે ખાસ ધ્યાન રાખીશું.

આ પણ વાંચોઃ નિકે સંભાળી લીધું, નહીં તો મોટા અકસ્માતનો શિકાર બની જાત પ્રિયંકા

જો જોનાસે કહ્યું કે અમને નિકના લગ્નમાં એવો અંદાજ નહોતો કે અમારા મિત્રો કેટલો બીયર પીવે છે? અમે ફ્રાંસમાં લગ્ન કરી રહ્યા છે એટલે વધારે બીયર જરૂરી છે. અમે પહેલાથી જ ધ્યાન રાખીશું કે બીયરની વ્યવસ્થા થઈ જાય.ભાઈની વાતમાં સાથ પુરાવતા નિક જોનાસે પણ કહ્યું કે, અમારા લગ્નથી મને અંદાજ આવી ગયો છે કે મારા મિત્રો વધુ બીયર પીએ છે. જેથી હવે અમે જો જોનાસના લગ્નમાં આવ વાતનું ધ્યાન રાખીશું.