05 October, 2020 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નેહા કક્કર સાથે રોહનપ્રીત સિંહ (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
ગાયિકા નેહા કક્કર (Neha Kakkar) 24 ઓક્ટોબરે 'ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર' ફૅમ રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh) સાથે લગ્ન બંધનમાં બંધાવવાની છે તેવા સમાચાર સાંભળીને ગાયિકાના ફૅન્સ ખુશખુશાલ થઈ ગયા છે. એવી ચર્ચા થઈ રહી છે કે, આ લગ્નના ઈન્વિટેશન મોકલાઈ ગયા છે. નેહા અને રોહન પ્રીતની વેડિંગ સેરેમની ઘણી પ્રાઇવેટ હશે, બંનેના ફેમિલી મેમ્બર્સ અને ક્લોઝ ફ્રેન્ડ જ સામેલ થશે.
સ્પૉટ બૉયના અહેવાલ પ્રમાણે, નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે તેને લાંબો સમય નથી થયો. તેમની પ્રથમ મુલાકાત પણ નેહાના સોંગ ‘આજા ચલ વ્યાહ કરવાએ’ના સેટ પર થઇ હતી. એક પબ્લિકેશન સાથેની વાતચીતમાં રોહનપ્રીતની મેનેજરે કહ્યું કે, ‘હા, અમે પણ આવી વાતો સાંભળી છે કે, બન્ને જણ લગ્ન કરવાના છે. પણ બન્નેએ સાથે એક સિંગલ કર્યું છે, આથી તેમનું નામ એકબીજા સાથે જોડવામાં આવી રહ્યું છે. રોહનપ્રીતનો લગ્નનો કોઈ પ્લાન નથી. જો કે, રિપોર્ટમાં વારંવાર તેમના લગ્નના દાવા કરવામાં આવી રહ્યાં છે.’
રોહનપ્રીત સિંહ વર્ષ 2019માં 'ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર'ની ત્રીજી સીઝનમાં કન્ટેસ્ટન્ટ હતો. આ ઉપરાંત તે વેડિંગ રિયાલિટી શો 'મુજસે શાદી કરોગે'માં પણ કન્ટેસ્ટન્ટ તરીકે દેખાયો હતો. આ શોને 'બિગ બૉસ 13'ની કન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલને સેન્ટરમાં રાખીને બનાવ્યો હતો. ગયા વર્ષે સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઈડ'લ દરમિયાન શોના હોસ્ટ આદિત્ય નારાયણ અને નેહાની જોડીને લોકોએ ઘણી પસંદ કરી હતી. શોની સ્ટ્રેટજી હેઠળ બન્નેના લગ્નની અફવા પણ ઊડી હતી. હવે એવો દાવો થઈ રહ્યો છે કે, નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ લગ્ન કરવાના છે. પરંતુ એ તો સમય જ કહેશે કે આ વાત કેટલી સાચી છે.