નેહા કક્કરે કહ્યું, "કોઇને આટલું હેરાન ન કરો કે તે પોતાનો જીવ લઈ લે"

10 August, 2019 05:27 PM IST  |  મુંબઈ ડેસ્ક

નેહા કક્કરે કહ્યું, "કોઇને આટલું હેરાન ન કરો કે તે પોતાનો જીવ લઈ લે"

નેહા કક્કર

બોલીવુડમાં પોતાના સુંદર અવાજનો જાદૂ ચલાવનારી નેહા કક્કર ફરી અફવાઓને કારણે સંપૂર્ણપણે તૂટી ચૂકી છે. ઇન્ડિયન આઇડલ 10 શોમાં કન્ટેસ્ટન્ટ બનીને આવેલા વિભોર પરાશર સાથે અફેરની બાબતથી નેહા ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે એક ભાવુક સંદેશ લખતાં કહ્યું છે કે તે શારીરિક અને માનસિક રીતે બરાબર નથી.

નેહા કક્કર પોતાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં જ નેહાએ પોતાના સોશિયલ મીડિયાની ઇન્સ્ટા સ્ટોરી સેક્શનમાં લોકોએ તેને હેરાન ન કરવાની અપીલ કરી છે. આ પોસ્ટ સાથે નેહાએ લખ્યું, "જ્યારે હું આ પોસ્ટ લખી રહી છું ત્યારે હું સ્વસ્થ નથી, ન તો માનસિક, ન તો શારીરિક. છતાં મારે બોલવુ પડે છે."

"શું તમે જાણો છો કે તેમને સહેજ પણ અહેસાસ નથી કે હું કોઇકની દીકરી અને બહેન છું. મેં મારા જીવનમાં ખૂબ જ મહેનત કરી છે જેના કારણે હું મારા પરિવારને અને બધાંને ગર્વ અપાવી શકું છું. જે ન તો મારા મિત્રો છે કે ન તો પરિવારનો ભાગ."

"કેમ લોકો જોયા જાણ્યા વગર જ અફવાઓ ફેલાવે છે કે આને કારણે કોઇકના જીવન પર શું અરસ પડશે. જો કોઇ સેલેબ છે છતાં તે પહેલા તો મનુષ્ય છે. આટલા નિર્દયી ન બનો, કોઇકના અંગત જીવન અને ચરિત્ર વિશે ન બોલો, જજ ન કરો."

આગળ નેહાએ લખ્યું છે કે એટલું બધું ના કરો કે કોઇ ડિપ્રેશનમાં જાય. તમે પણ કોઇકના ભાઇ અને પિતા હશો, તો શું તમે પણ તમારી દીકરી અને બહેન સાથે આ જ કરશો? કોઇને એટલું ખરાબ અનુભવ પણ ન કરાવવો જોઇએ કે તે આત્મહત્યા કરવાનું વિચારી લે. કૃપા કરીને થોભો.

જો કે નેહાએ આના પછી બે પોસ્ટ કરી અને જેમાં તેણે જણાવ્યું કે તે બરાબર થઈ જશે. જણાવીએ કે હાલ નેહા કક્કરનું નામ ઇન્ડિયન આઇડલના કન્ટેસ્ટન્ટ વિભોર સાથે જોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Ruchi Bhanushali: જાણો એ સિંગર વિશે જેના અવાજથી પડે છે લોકોની સવાર

આ પહેલા પણ નેહા કક્કરે પોતાના એક્સ બૉયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ વખતે પણ ડિપ્રેશનનો ભોગ બની ચૂકી છે. આ અફવાઓથી નેહા પર ખૂબ જ ઊંડી અસર પડી છે કે તેણે પોતાની પોસ્ટ દ્વારા લોકોને પોતાના મનની વાત કરી છે.

neha kakkar bollywood bollywood news bollywood events bollywood gossips