05 May, 2020 05:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતુ કપૂરે એ તમામ મેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે જેમણે હૉસ્પિટલમાં રિશી કપૂરની દેખભાળ કરી હતી. ગુરુવારે રિશી કપૂરના મૃત્યુના સમાચારથી સૌને દુઃખ થયું હતું.
હૉસ્પિટલના સ્ટાફ પ્રતિ આભાર દર્શાવતાં રિશી કપૂરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નીતુ કપૂરે કૅપ્શન આપી હતી કે ‘એક ફૅમિલી મેમ્બરને ગુમાવવાનું અમને ખૂબ દુઃખ છે. અમે જ્યારે સાથે બેઠા હતા ત્યારે ભૂતકાળને યાદ કરીએ છીએ તો અમને એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલના ડૉક્ટરો પ્રતિ અપાર આભારની લાગણી નિર્માણ થાય છે. ડૉક્ટરોની પૂરી ટીમ, ભાઈઓ અને નર્સિસ સાથે મળીને ડૉક્ટર તરંગ જ્ઞાનચંદાણીએ મારા હસબન્ડની સારવાર પોતાના અંગત વ્યક્તિ તરીકે કરી હતી. તેઓ અમને પોતાના સમજીને હંમેશાં સલાહ આપતા હતા. એ બધા માટે હું તમામનો દિલથી આભાર માનું છું.’