10 October, 2020 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે મારાં દાદી નીચલી જાતિનાં હોવાથી તેમના ગામમાં આજ સુધી તેમનો સ્વીકાર નથી કરવામાં આવ્યો. તેનું કહેવું છે કે જાતિવાદ લોકોના મનમાં ઊંડાણપૂર્વક પેસી ગયો છે. ફિલ્મોમાં આટલી પ્રસિદ્ધિ મેળવવા છતાં તેનો હજી સુધી સ્વીકાર કરવામાં નથી આવ્યો. દલિત લોકો સાથે કરવામાં આવતો ભેદભાવ આજે પણ આપણા દેશમાં એક દૂષણ છે. તાજેતરમાં હાથરસમાં દલિત યુવતી સાથે ઘટેલી અમાનવીય ઘટનાને લઈને તેણે પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. આ વિશે નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘મારી ફૅમિલીમાં મારાં દાદી નીચલી જાતિનાં હતાં. આજે પણ મારાં દાદીને કારણે અમારો સ્વીકાર નથી કરવામાં આવ્યો.’