નસીરૂદ્દીન દેશ વિરોધી નિવેદનોથી બન્યા બેકાર

25 August, 2019 09:45 PM IST  |  Mumbai

નસીરૂદ્દીન દેશ વિરોધી નિવેદનોથી બન્યા બેકાર

Mumbai : એક બયાન માણસને ક્યાંથી ક્યાં લાવીને ઉભો કરી દે તેનો તાજો જ દાખલો છે નસીરૂદીન શાહ. ગયા વર્ષે પોલીસનાં મોતને લઈ આપેલા બયાન પર આજે એની ખુબ ખરાબ હાલત થઈ ગઈ છે. નસીરુદીનને આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં પણ ચારે તરફથી ટીકા ટીપ્પણીઓ સહન કરવી પડી હતી. લોકોએ તેને દેશદ્રોહી જેવા લેબલોથી પણ બોલાવવાનું શરૂ કરી દીધું હતું અને દેશ છોડી પાકિસ્તાન જવાનું કહેવામાં આવી રહ્યું હતું.

હવે નસીરૂદીને એક ઈન્ટરવ્યૂમાં પોતાનાં કામ સાથે જોડાયેલી અમુક બાબતોને લઈ મોટું નિવેદન આપ્યું છે. કહ્યું કે, હાલનાં દિવસોમાં તે મોટા પડદાં પરથી ગાયબ એટલાં માટે છે કારણ કે કોઇ તેને કામ આપવાં તૈયાર નથી. જ્યારે એક્ટરને પુછવામાં આવ્યું કે શા માટે તમે હાલમાં મોટા પડદાં પરથી ગાયબ છો. શાહે આ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, શું કરું, મને કોઇ કામ જ નથી આપતું. જો કે જવાબ બાદ નસીરુદીન જોરથી હસ્યાં હતા. સવાલ ફરીથી કરવામાં આવ્યો કે શું રોલ નથી મળી રહ્યો અથવા તો આપને કોઇ સ્ક્રિપ્ટ પસંદ નથી આવતી? તો નસીરુદીને કહ્યું કે, ફ્રેન્કલી કહું તો બોમ્બે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી મને હાલનાં દિવસોમાં કોઇ સારી ઑફર આવતી જ નથી. છેલ્લાં 2 વર્ષોમાં મેં એક વેબ સીરીઝમાં કામ કર્યુ છે અને એક બાંગ્લા ફિલ્મ કલકત્તામાં કરી છે. તે સિવાય કોઇ કામ નથી કર્યુ.

આ પણ જુઓ : દિલીપ કુમાર અને સાયરા બાનુના આ 16 ફોટોઝ છે તેમના પ્રેમનો પુરાવો

આગળ હીરો કહે છે કે, મુંબઇમાં બનાવવામાં આવી રહેલ ફિલ્મો મને જોઈએ એવી રસપ્રદ નથી લાગતી. આગળ જ્યારે પુછવામાં આવ્યું કે ઇન્ટરનેટ સોશિયલ મીડિયામાં આપના વિશે લોકો વધારે અપશબ્દ લખે છે? જવાબમાં હીરો જણાવે છે કે, નજે લોકોની પાસે કોઇ કામ જ નથી તેઓ ફેસબુકમાં બેસીને મને અભદ્ર શબ્દો આપે છે, તેની તરફ કોઇ ધ્યાન નથી આપતુંથ ત્યારબાદ પુરમાં ફસાયેલા લોકોને મદદ કરનાર સેલેબ્સનાં પણ હીરોએ વખાણ કર્યા હતા.

bollywood bollywood gossips bollywood news