ઑપરેશન સિંદૂરના અસરગ્રસ્ત પરિવારોને નાના પાટેકરે કેટલી સહાય કરી?

24 September, 2025 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાના પાટેકરે રાજૌરી અને પૂંછ જિલ્લાઓમાં પાકિસ્તાની આક્રમણનો ભોગ બનેલા પરિવારોની મુલાકાત લીધી હતી

નાના પાટેકર પ્રભાવિતોની મુલાકાતે

નાના પાટેકરે સોમવારે પોતાના બિનસરકારી સંગઠન નિર્મલા ગજાનન ફાઉન્ડેશનના માધ્યમથી ભારતીય સેના સાથે મળીને રાજૌરી અને પૂંછ જિલ્લાઓના ૧૧૭ પરિવારોને ૪૨ લાખ રૂપિયા જેટલું દાન આપ્યું છે.

નાના પાટેકરે રાજૌરી અને પૂંછ જિલ્લાઓમાં પાકિસ્તાની આક્રમણનો ભોગ બનેલા પરિવારોની મુલાકાત લીધી હતી. આ પરિવારો ઑપરેશન સિંદૂર પછી સરહદ પારથી થયેલા ગોળીબારથી પ્રભાવિત થયા હતા. નાના પાટેકરની સંસ્થાએ તેમને રાહતસામગ્રીની સાથે-સાથે નાણાકીય મદદ પણ કરી છે. આ સિવાય નાના પાટેકરે પૂંછમાં થયેલા ગોળીબારમાં પોતાના પિતા અમરીક સિંહને ગુમાવનાર ૧૧ વર્ષની છોકરીના શિક્ષણનો ખર્ચ ઉપાડવાનું પણ વચન આપ્યું છે.

nana patekar operation sindoor india pakistan entertainment news bollywood bollywood news