મારા પિતાએ મને દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતાં શીખવ્યું છે: શાન

24 June, 2020 09:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારા પિતાએ મને દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતાં શીખવ્યું છે: શાન

શાનનું કહેવું છે કે તેના પપ્પાએ તેને દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતાં શીખવ્યું હતું. તે જ્યારે ૧૪ વર્ષનો હતો ત્યારે તેના પપ્પાનું અવસાન થયું હતું. તેના પપ્પાનું તેના જીવન પર ખૂબ જ પ્રભુત્વ રહ્યું છે. તેના પપ્પા એટલે સ્વર્ગીય મ્યુઝિક-ડિરેક્ટર માનસ મુખરજી. આ વિશે વાત કરતાં શાને કહ્યું હતું કે ‘મેં ખૂબ જ જલદી મારા પપ્પાને ખોઈ દીધા હતા. હું ૧૪ વર્ષનો હતો અને તેઓ 43 વર્ષના હતા. તેઓ ખૂબ જ યુનિક હતા. તેમની ઇન્ટિગ્રિટી ખૂબ જ સારી હતી જે મારામાં પણ છે. તેમણે મને કહ્યું હતું કે મેં જે પણ કામ ન કર્યું હોય એમાં કોઈ દિવસ ક્રેડિટ ન લેવી અને જેમણે કામ કર્યું હોય તેમને હંમેશાં ક્રેડિટ આપવી. તેમણે અમને શીખવ્યું હતું કે જો તમે કોઈ પાસે કંઈ લીધું હોય તો હંમેશાં તેને પાછું આપવું. તેમણે અમને એ પણ શીખવ્યું હતું કે કોઈની પાસેથી કંઈ લેવું નહીં. તેમની પાસેથી હું ઘણી વસ્તુ શીખ્યો હતો જેમાંથી સૌથી મહત્ત્વની એ છે કે દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું. મ્યુઝિકની દૃષ્ટિએ જોઈએ તો તેઓ ખૂબ જ ટૅલન્ટેડ હતા અને હું તેમનો બે ટકા પણ નથી. હું આજે જે કંઈ છું એની પાછળ મારા પપ્પાનો ખૂબ જ મોટો હાથ છે.’

entertainment news bollywood shaan