24 January, 2020 02:06 PM IST | Mumbai
સૈફ અલી ખાન
સૈફ અલી ખાને ‘જવાની જાનેમન’માંથી સારા અલી ખાનને હટવાનું કહીને તેને રણવીર સિંહ અને વરુણ ધવન સાથે કામ કરવાની સલાહ આપી હતી. આ ફિલ્મ દ્વારા આલિયા ફર્નિચરવાલા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. ફિલ્મમાં સૈફ તેના ડૅડીની ભૂમિકામાં જોવા મળશે. આલિયા પહેલાં આ ફિલ્મ સારાને ઑફર કરવામાં આવી હતી? એનો જવાબ આપતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘હા. એ વખતે ‘કેદારનાથ’ અટકી પડી હતી અને સારા પાસે બીજી કોઈ ફિલ્મ નહોતી. એથી આ ફિલ્મ તેને ઑફર કરવામાં આવી હતી.
એથી મેં તેને પૂછ્યું હતું કે શું તે આ ફિલ્મ કરવા માગે છે? તેણે તરત જ મને હા કહી દીધી હતી. ત્યાર બાદ ‘કેદારનાથ’ ફરીથી શરૂ કરવામાં આવી હતી. બાદમાં તેને ‘સિમ્બા’ પણ ઑફર કરવામાં આવી હતી. એથી મેં તેને એમ કહ્યું કે સારા, આ ફિલ્મ તું ન કર, કારણ કે આ ફિલ્મ તારા માટે બૅકઅપ પ્લાન તરીકે હતી. હું આ ફિલ્મ અન્ય કોઈની સાથે કરવા માગું છું. તને રણવીર સિંહ અને વરુણ ધવન સાથે કામ કરવું જોઈએ. તે આ વાત માની ગઈ હતી. તેણે કહ્યું ઓકે, થૅન્ક યુ. હું એમ જ કરીશ. આ એકદમ સરળ બાબત છે. હું તેની સાથે કામ કરવા નહોતો માગતો, કારણ કે એના કારણે ફૅમિલીમાં અસહજતા નિર્માણ થઈ હોત.
આ પણ વાંચો : સ્ક્રીન પર મહિલાઓનાં પાત્રો ભજવવાં ગમે છે સુનીલ ગ્રોવરને
અમને ૩થી ૫ ફિલ્મો સાથે ઑફર કરવામાં આવી હતી. એ વખતે મને રોલમાં રસ નહોતો તો ક્યારેક એમ બનતું કે તેને રોલમાં ઇન્ટરેસ્ટ નહોતો.’