MeToo : નાના પાટેકરની સામેનો કેસ બંધ કરાયો

14 June, 2019 09:09 AM IST  |  મુંબઈ

MeToo : નાના પાટેકરની સામેનો કેસ બંધ કરાયો

નાના પાટેકર અને તનુશ્રી દત્તા

અભિનેત્રી તનુશ્રી દત્તા લૈંગિક શોષણ બાબતના મામલામાં વરિષ્ઠ અભિનેતા નાના પાટેકર સામેની તપાસ પોલીસે બંધ કરી દીધી છે. જોકે તનુશ્રી દત્તાના વકીલ નીતિન સાતપુતેએ કહ્યું કે બી સમરી અહેવાલ બાબતે પોલીસ દ્વારા કોઈ જ માહિતી નથી મળી. પોલીસે માત્ર માહિતી જણાવાશે એમ કહ્યું હોવાથી અમે પોલીસના અહેવાલને પડકારીશું. પોલીસે નાના પાટેકરને બચાવવા માટે આ તપાસ અધૂરી છોડી દીધી છે અને અનેક સાક્ષીઓના જવાબ પણ નોંધવામાં નથી આવ્યા, તો કેટલાક જવાબ અધૂરા નોંધવામાં આવ્યા છે.

અભિનેત્રીના વકીલે ઉમેર્યું હતું કે ‘અમે ઓશિવરા પોલીસ દ્વારા અંધેરી કોર્ટમાં જે બી સમરી અહેવાલ રજૂ કરાશે એનો વિરોધ કરીશું. ત્યાર બાદ સુનાવણી દરમ્યાન કોર્ટ અમારી બાજુ સાંભળીને આ મામલામાં ફરી તપાસ કરવાનો આદેશ આપશે એવી અમને ખાતરી છે. પોલીસે હેરડ્રેસર સહિત આઠ સાક્ષીઓનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં નથી, એટલું જ નહીં, પોલીસે જેમનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં છે એમાં કોઈ જ માહિતી નથી.

આ પણ વાંચો: આ છે જાહ્નવી કપૂરની ફિટનેસનો રાઝ, જુઓ વીડિયો

પોલીસે આ મામલામાં પારદર્શક તપાસ કરી ન હોવાથી મુંબઈ હાઈ કોર્ટમાં આ અહેવાલના વિરોધમાં યોગ્ય તપાસ કરવાની માગણી કરતી રિટ પિટિશન દાખલ કરીશું.’

nana patekar tanushree dutta MeToo bollywood news