22 April, 2020 05:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મિથુન ચક્રવર્તી
બૉલીવુડ માટે એક ખરાબ સમાચાર છે. એક્ટર મિથુન ચક્રવર્તીના પિતા બસંત કુમાર ચક્રવર્તીનું નિધન થયું ગયું છે. તેઓ સમયથી લાંબી બીમારી સામે લડી રહ્યા હતા. બસંત ચક્રવર્તી લાંબા સમયથી આ રોગ સામે લડી રહ્યો હતો. જાણકારી અનુસાર કિડની ફેલ થવાના કારણે મંગળવારે તેમનું નિધન થયું છે. બસંત ચક્રવર્તીએ મંગળવારે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. બીજી બાજુ, મુશ્કેલી એ છે કે એક્ટર મિથુન ચક્રવર્તી હાલ લૉકડાઉનને કારણે બેંગ્લુરૂમાં ફસાયેલા છે અને મુંબઈ પહોંચવાના ઘણા પ્રયત્ન કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર એમનુ નિધન 21 એપ્રિલે મુંબઈમાં થયુ. દિગ્ગજ બંગાળી એક્ટ્રેસ રિતુપર્ણા સેન ગુપ્તાએ ટ્વિટ કરીને મિથુનના પિતાને શ્રદ્ધાંજલિ આપી છે. એમણે લખ્યું મિથુન દા તમારા પિતાને મારી શ્રદ્ધાંજલિ. હિમ્મત રાખો અને ભગવાન એમની આત્માને શાંતિ આપે.
રિપોર્ટ અનુસાર મિથુન શૂટિંગ માટે બેંગ્લુરૂ ગયા હતા. એટલે પિતાના અંતિમ સમયે પણ એમની સાથે નહીં હતી. જોકે મિથુનનો મોટો દીકરો મિમોહ હાલ મુંબઈમાં છે. બંસત કુમારના ચાર બાળકો છે, જેમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ છે. ગૌરાંગ એટલે મિથુન સૌથી મોટો દીકરો છે.