મનોજ બાજપેયીના પિતાની તબિયત નાજુક, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

17 September, 2021 08:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક સૂત્રના જણાવ્યા અનુસાર મનોજના પિતાની સ્થિતિ એકદમ નાજુક છે.

મનોજ બાજપાયી. ફોટો/સમીર માર્કંડે

અભિનેતા મનોજ બાજપાયીના પિતાને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક સૂત્રના જણાવ્યા અનુસાર મનોજના પિતાની સ્થિતિ એકદમ નાજુક છે.

તેના પિતાની નાદુરસ્ત તબિયત વિશે જાણ્યા બાદ, કેરળમાં કોઈ પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહેલા મનોજ તરત જ આવા મુશ્કેલ સમયમાં પોતાના પરિવાર સાથે રાજધાની જવા રવાના થયા હતા.

તાજેતરમાં ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં મનોજે કહ્યું હતું કે કેવી રીતે તેના પિતાએ અભિનય પ્રત્યેના તેના જુસ્સાને આગળ વધારતા પહેલા તેને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા દબાણ કર્યું હતું.

“હું બિહારના મારા ગામથી 18 વર્ષની ઉંમરે દિલ્હી આવ્યો હતો. હું દિલ્હી યુનિવર્સિટીમાં જોડાયો હતો અને હું ગ્રેજ્યુએશનનું પૂરું કરું એ મારા પિતાનું સ્વપ્ન હતું. તેઓ ઇચ્છતા ન હતા કે હું અભ્યાસ છોડી દઉં. તેથી હું ખરેખર તેમનું સપનું પૂરું કરવા માગતો હતો. હું કોર્સ પૂરો કરવામાં અને ડિગ્રી લેવા માટે સફળ થયો હતો.” તેમણે શેર કર્યું હતું.

મનોજે હજુ સુધી તેના પિતાની તબિયત અંગે કોઈ અપડેટ આપ્યું નથી.

bollywood news manoj bajpayee mumbai news delhi news