વર્તમાન સમયને કારણે કવિ બન્યો મનીષ પૉલ

14 May, 2021 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિચાર મને આખી રાત જગાડી રાખે છે. એથી મેં વિચાર્યું કે મારા આ વિચારોને અ લાગણીને મારી કળાના માધ્યમથી કવિતામાં પરોવી દઉં.’

મનીષ પૉલ

મનીષ પૉલે દેશમાં જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા છે એને જોતાં એક સચોટ કવિતા લખી છે. આ કવિતા તેની યુટ્યુબ ચૅનલ પર જોવા મળશે. એની લિન્ક તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. વર્તમાન સ્થિતિને જોતાં કવિતાનું નામ ‘આજ કલ નીંદ નહીં આતી હૈ’ રાખવામાં આવ્યું છે. આ કવિતા વિશે મનીષ પૉલે કહ્યું હતું કે ‘આપણો દેશ આજે એક જ પ્રકારની લાગણી, ડર અને અસલામતીની ભાવનાથી પીડાઈ રહ્યો છે. ગયા લૉકડાઉનથી હું મારી ફૅમિલીથી દૂર છું અને ફરી એક વખત આપણે ઘરમાં પુરાઈ ગયા છીએ. એ કેટલા સમય સુધી ચાલશે એની જાણ નથી. જોકે આપણે આવતી કાલ સારી આવશે એવી આશા રાખવાની છે. આ વિચાર મને આખી રાત જગાડી રાખે છે. એથી મેં વિચાર્યું કે મારા આ વિચારોને અ લાગણીને મારી કળાના માધ્યમથી કવિતામાં પરોવી દઉં.’

bollywood news bollywood bollywood gossips manish paul