અચ્છા... તો આ દિવસે કરશે અર્જુન-મલાઈકા લગ્ન!

07 July, 2019 09:07 PM IST  | 

અચ્છા... તો આ દિવસે કરશે અર્જુન-મલાઈકા લગ્ન!

અર્જુન-મલાઈકા

જ્યારે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે પોતાના સંબંધોનો સ્વીકાર મીડિયા સામે કર્યો છે ત્યારે હવે બન્નેના લગ્નને લઈને અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. હાલમાં જ મલાઈકા અને અર્જુન ન્યુયોર્કમાં સાથે રજા માણીને આવ્યા છે. બન્નેને સાથે જોયા પછી ફરી એકવાર તેમના લગ્નની અટકળો સેવાઈ રહી છે પરંતુ આ વખતે અર્જુન કપૂરે લગ્નને લઈને પોતાની વાત સ્પષ્ટ કરી છે.

ફિલ્મફેર દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં અર્જુન કપૂરને પૂછવામાં આવ્યુ હતું કે મલાઈકા સાથે લગ્ન ક્યારે પ્લાન કરી રહ્યા છો? આ સવાલનો જવાબ આપતા અર્જુને કહ્યું હતું કે, હું લગ્ન નથી કરી રહ્યો, 'હાલ મલાઈકા અને હું એકબીજાને સમજી રહ્યા છીએ અને કપલ તરીકેનો આનંદ માણી રહ્યા છીએ. આ વિશે વધુ વાત કરતા અર્જુને કહ્યું હતું કે, અત્યારે અમે અમારી જાતને લગ્નના તણાવથી દૂર રાખ્યા છે. ક્યારેક તમારે માત્ર રિલેશનશિપમાં હોવાની જરૂર હોય છે અને તેને માણવાની જરૂર છે. પ્રેમને તમારે માણવો જોઈએ નહી કે લોકોના હિસાબથી વર્તન કરવું જોઈએ.'

આ પણ વાંચો: બોક્સ ઓફિસ કલેક્શન: 50 કરોડનો આકડો પાર કરી શકે છે આર્ટિકલ 15

અર્જુન કપૂરે હાલમાં જ કહ્યું હતું કે, હુ જ્યારે લગ્ન કરવાનું નક્કી કરીશ ત્યારે તમને સૌ કોઈને હું જાણ કરીશ. લગ્નના નિર્ણયને કોઈનાથી છુપાવીશ નહી. હું મલાઈકા સાથેના રિલેશનને લઈને ઓપન છું એવુ કોઈ કારણ અમારા વચ્ચે નથી જેને લઈને અમારા લગ્નને છુપાવવા પડે. મલાઈકાએ પણ અર્જુન વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે અર્જુન કપૂર તેને સારી રીતે સમજે છે અને આ જ વાત મને તેના તરફ આકર્ષિત છે.

malaika arora arjun kapoor bollywood gossips gujarati mid-day