લૉકડાઉનમાં હવા શુદ્ધ થઈ છે એટલી તો એક દાયકામાં પણ નથી થઈ: દિયા મિર્ઝા

06 September, 2020 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનમાં હવા શુદ્ધ થઈ છે એટલી તો એક દાયકામાં પણ નથી થઈ: દિયા મિર્ઝા

દિયા મિર્ઝા

દિયા મિર્ઝાનું માનવું છે કે જેટલી એક દાયકામાં હવા શુદ્ધ નથી થઈ એટલી લૉકડાઉનમાં થઈ છે. દિયા યુનાઇટેડ નેશન્સની ગુડવિલ ઍમ્બૅસૅડર છે. ૭ સપ્ટેમ્બરને ઇન્ટરનૅશનલ ડે ઑફ ક્લીન ઍર ફૉર બ્લ્યુ સ્કાઇઝ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. વધતું પ્રદૂષણ એ વિશ્વની સમસ્યા બની ગઈ છે. આ વિશે દિયાએ કહ્યું હતું કે ‘આપણે સૌએ સાથે મળીને લાંબા સમય સુધી જળવાઈ રહે એવાં પગલાં લેવાની જરૂર છે, કારણ કે સ્વચ્છ હવા પર દરેકનો અધિકાર છે. ગ્લોબલ લૉકડાઉનને કારણે જે હવા એક દાયકા સુધી સ્વચ્છ નહોતી થઈ એ આ સમયગાળામાં થઈ છે. કુદરત લોકોના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જોકે લૉકડાઉન એ કાંઈ નિરાકરણ નથી. આપણને કંઈક એવા ઉપાયો, સ્ટ્રૅટેજીઝ અને નીતિઓ અપનાવવી જોઈએ જેથી વિશ્વની હવા શુદ્ધ થઈ જાય.’

entertainment news bollywood bollywood news bollywood gossips dia mirza lockdown