04 April, 2020 01:36 PM IST | Mumbai Desk
અમિતાભ બચ્ચન (ફાઇલ ફોટો)
દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસને જોતાં લૉકડાઉનની સ્થિતિ છે. એવામાં લોકોને ઘરમાં સલામત રહેવાની સલાહ અમિતાભ બચ્ચને આપી છે. સાથે જ તેમણે કોરોનાને હરાવવાની પણ વિનંતી લોકોને કરી છે. એ વિશે ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘ખબરદાર... ઘરમાં રહો, બહાર ન નીકળો. આ કમબખ્ત ‘કોરોના’ને જીતવા ન દેતા. ના ના... તમે મારી વાત નથી સમજી રહ્યા. ‘કોરોના’ને ઊલટું વાંચો... તો થઈ જશે... ‘નારોકો’.