ફૅન્સના લેટર્સથી વધુ સારું કામ કરવાની પ્રેરણા મળે છે આયુષ્માનને

18 September, 2021 01:43 PM IST  |  mumbai | Harsh Desai

આયુષ્માને હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ફૅન્સ દ્વારા લખવામાં આવેલા કેટલાક લેટર્સને શૅર કર્યા છે

આયુષ્માન ખુરાના, ફૅન્સના લેટર્સ

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે ફૅન્સના લેટર્સને કારણે તેને વધુ કામ કરવા માટે પ્રેરણા મળે છે. આયુષ્માને હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ફૅન્સ દ્વારા લખવામાં આવેલા કેટલાક લેટર્સને શૅર કર્યા છે. તેની કરીઅરની શરૂઆતથી લઈને અત્યાર સુધીના તેના ફૅન્સ દ્વારા લખવામાં આવેલા દરેક લેટરને તેણે સાચવી રાખ્યા છે. તેણે હાલમાં જ કેટલાક લેટર્સને શૅર પણ કર્યા હતા. આ વિશે પૂછતાં આયુષ્માને કહ્યું હતું કે ‘યુવાનીમાં હું લેટર લખીને એને પોસ્ટ કરતો હતો એ મને હજી પણ યાદ છે. આજે પણ હું ઘણી વાર મારા પ્રિયજનને લેટર્સ લખું છું. આ રીતે લાગણી વ્યક્ત કરવામાં આવે એ મને ખૂબ જ પસંદ છે. મારા શુભેચ્છકો પાસેથી મને લેટર્સ મળે એ મારા માટે ખૂબ જ મોટી વાત છે. હું દરેક લેટર વાંચું છું. તેમનો પ્રેમ મને પ્રેરિત કરે છે. કેટલાક લોકો ખૂબ જ સારો ફીડબૅક આપે છે અને એના પરથી મને ખબર પડે છે કે તેઓ મારા કામને કેવી રીતે જુએ છે. આ લેટર્સ મને ખૂબ જ ખુશી આપે છે અને એક આર્ટિસ્ટ તરીકે મને વધુ કામ કરવા માટે પ્રેરિત કરે છે.’ 

ayushmann khurrana harsh desai