સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર Covid-19 પૉઝિટીવ, હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ

11 January, 2022 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગાયિકા લતા મંગેશકરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

લતા મંગેશકર

મુંબઈઃ ગાયિકા લતા મંગેશકરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સુપ્રસિદ્ધ ગાયિકા હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં સારવાર લઇ રહ્યા છે. કોવિડને કારણે લતા મંગેશકરને ન્યુમોનિયા થયો છે, જેને કોવિડ ન્યુમોનિયા કહેવાય છે. લતા મંગેશકર શનિવાર રાતથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છે. ભારત રત્ન લતા મંગેશકરને કોરોનાના હળવા લક્ષણો છે.  તેમની તબિયત લથડતા આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે.

વર્ષ 2019માં પણ લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરને વાયરલ અને શ્વાસ લેવામાં મુશ્કેલી બાદ મેડિકલ ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી હતી. ત્યારે પણ તેમને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા.

lata mangeshkar bollywood news coronavirus