05 February, 2024 09:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લતા મંગેશકર
Lata Mangeshkar Death Anniversary: લતા મંગેશકરની બીજી પુણ્યતિથિના અવસર પર આશા ભોંસલે અને ઉષા મંગેશકર સાથે સંગીત જગતની તમામ હસ્તીઓ `સંગીતમય બેઠક` દ્વારા લતા દીદીને ભાવપૂર્વર શ્રદ્ધાંજલિ આપશે.
લતા મંગેશકરની બીજી પુણ્યતિથિ (Lata Mangeshkar Death Anniversary) નિમિત્તે `સંગીતમય બેઠક` નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ ઈવેન્ટ દરમિયાન સંગીત જગતની ઘણી મોટી હસ્તીઓ એક જગ્યાએ એકત્ર થશે અને સંગીતના ક્વિન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપશે. ઇન્ડિયન સિંગર્સ એન્ડ મ્યુઝિશિયન રાઇટ્સ એસોસિએશન (ISAMRA)ના સ્થાપક અને CEO સંજય ટંડનનું આ અનોખા કાર્યક્રમ પાછળ વિશેષ યોગદાન છે.
ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ લતા મંગેશકરની યાદમાં આયોજિત આ કાર્યક્રમમાં લતા મંગેશકરની બહેનો આશા ભોંસલે અને ઉષા મંગેશકરનું વિશેષ જોડાણ છે. ઘણા જાણીતા ગીતકારો, સંગીતકારો અને ગાયકો મોટી હસ્તીઓમાં સામેલ છે જેઓ આ ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે. આવા મોટા નામોમાં અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, કુણાલ ગાંજાવાલા, સુરેશ વાડકર, શાન, સુદેશ ભોસલે, શબ્બીર કુમાર, નીતિન મુકેશ, લલિત પંડિત, શૈલેન્દ્ર સિંહ, સંજય ટંડન, અન્નુ મલિક, રિચા શર્મા, મધુશ્રી, જસપિન્દર નરુલા, સાધના સરગમનો સમાવેશ થાય છે. સ્નેહા પંત, સંજીવની ભેલાંડે, બેલા સુલાખે, હર્ષદીપ કૌર જેવી ઘણી હસ્તીઓ સામેલ છે જેઓ સ્વર્ગસ્થ લતા મંગેશકરને તેમના કાલાતીત ગીતોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપશે.
આ ખાસ કાર્યક્રમ દરમિયાન જાવેદ અખ્તર, સંગીતકાર આનંદજીભાઈ, પ્યારેલાલજી, વિશાલ ભારદ્વાજ અને હિમેશ રેશમિયા પણ હાજર રહે તેવું અનુમાન છે.
આ અંગે સંજય ટંડને કહ્યું કે, "કોઈ પણ સામાન્ય પરિવારની જેમ, ISAMRA એ પણ તમામ ગાયકો અને સંગીતકારોની જેમ એક મોટો પરિવાર છે. આવી સ્થિતિમાં આ પરિવાર સમયાંતરે મળે અને એકબીજાની સ્થિતિ વિશે જાણે તે જરૂરી છે. હું ખૂબ જ ખુશ છું કે 60ના દાયકામાં લતા મંગેશકરે જે રોયલ્ટીનો મુદ્દો ઉઠાવ્યો હતો, તે હવે ISAMRA હેઠળ ઉકેલાઈ ગયો છે. આવી સ્થિતિમાં, અમે ફરી એકવાર એક પરિવારની જેમ ભેગા થઈશું અને સ્વર્ગસ્થ લતા મંગેશકરના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અપર્ણ કરીશું.