25 June, 2021 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કમાલ આર ખાન
કેઆરકે વિરુદ્ધ દાખલ કરેલા કેસની સુનાવણી દરમ્યાન કોર્ટે કડક આદેશ આપ્યા છે કે હવે પછીથી કમાલ રશીદ ખાન સલમાન ખાન, તેના પરિવાર અને તેની કંપની વિરુદ્ધ કોઈ વાંધાજનક નિવેદન નહીં આપી શકે. કોર્ટે કહ્યું હતું કે ‘પ્રતિષ્ઠા અને સન્માન કોઈ પણ વ્યક્તિ માટે સલામતી અને સ્વતંત્રતા સમાન છે. વ્યક્તિની ઓળખ તેના નામથી છે. એ વ્યક્તિના નામનું ભલે સમાજમાં કોઈ માન ન હોય, પરંતુ તેના માટે તો એ અમૂલ્ય છે. ધનવાન હોવા કરતાં સારુ નામ ખરી સંપત્તિ છે. સારી છાપ એ ન માત્ર જીવનનો સાર છે, પરંતુ ખરો વારસો પણ છે. સાથે જ એ જીવન માટે સુગંધ છે.’