ક્રિતી ખરબંદાએ ચેહરે છોડવાનું કારણ જણાવ્યું

25 November, 2019 10:33 AM IST  |  Mumbai

ક્રિતી ખરબંદાએ ચેહરે છોડવાનું કારણ જણાવ્યું

ક્રિતી ખરબંદા

ક્રિતી ખરબંદાએ તારીખોને કારણે ‘ચેહરે’માં કામ કરવાની ના પાડી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી, રિયા ચક્રવર્તી અને અનુ કપૂર જોવા મળશે. પહેલાં એવી ચર્ચા હતી કે આ ફિલ્મના પ્રોડ્યુસર સાથે વિવાદ સર્જાતાં તેણે આ ફિલ્મ છોડી છે. જોકે એ ચર્ચા પર પૂર્ણવિરામ લગાવતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘કમનસીબી એ છે કે મારે ફિલ્મ છોડવી પડી. અમે પરસ્પર ચર્ચા કરીને નિર્ણય લીધો હતો કે હું આ ફિલ્મમાં કામ નહીં કરું. ‘ચેહરે’નું શૂટિંગ ઑગસ્ટ કે સપ્ટેમ્બરમાં શરૂ થવાનું હતું. જોકે એને ઑક્ટોબર-નવેમ્બરમાં ધકેલવામાં આવ્યું. મેં પહેલેથી જ ‘હાઉસફુલ 4’ અને ‘પાગલપંતી’ માટે તારીખો ફાળવી હતી. એથી દુર્ભાગ્યવશ હું મારી તારીખો પણ બદલી ન શકી.’

અમારા સંબંધોને લોકોએ થોડી સ્પેસ આપવી જોઈએ : ક્રિતી
પુલકિત સમ્રાટ સાથેના સંબંધોને લઈને ક્રિતી ખરબંદાએ જણાવ્યું હતું કે તેમના સંબંધોને થોડી સ્પેસ આપવી જોઈએ. આ બન્ને ‘પાગલપંતી’માં સાથે જોવા મળી રહ્યા છે. પોતાના રિલેશન વિશે ક્રિતીએ કહ્યું હતું કે ‘અમે અમારા રિલેશનશિપને છુપાવતાં નથી. જોકે મારું માનવું છે કે લોકોએ અમને થોડી સ્પેસ આપવી જોઈએ, કારણ કે આ એક પારિવારિક વસ્તુ છે.’

આ પણ જુઓઃ Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

આ વિશે પુલકિતે પણ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે પર્સનલ અને ફૅમિલી મૅટર્સને પરિવાર સુધી જ સીમિત રાખવી જોઈએ. અમારી ફૅમિલી કૅમેરા અને મીડિયાથી દૂર રહે છે. આ યોગ્ય નથી કે તેમની ફીલિંગ્સને તેમના વતી અમે રજૂ કરીએ. હું માત્ર એટલું જ કહીશ કે અમે હાલમાં હૅપી સ્પેસમાં છીએ.’

kriti kharbanda pulkit samrat bollywood news