PM Modiના શપથગ્રહણ સમારંભમાં કેમ અક્ષય કુમાર આવ્યો નહીં, જાણો કારણ

31 May, 2019 05:09 PM IST  | 

PM Modiના શપથગ્રહણ સમારંભમાં કેમ અક્ષય કુમાર આવ્યો નહીં, જાણો કારણ

અક્ષય કુમારે લીધો હતો પીએમ મોદીનો ઇન્ટરવ્યુ

ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથગ્રહણ સમારંભમાં બોલીવુડના તમામ સિતારા સામેલ થયા. પણ એક સ્ટાર જેના પર તમામની નજર તે કોઇને જોવા ન મળ્યો. પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં સાઉથ સુપર સ્ટારથી લઇને નાના પડદાના મોટા સ્ટાર કપિલ શર્મા સુધી લગભગ બધાં પહોંચ્યા પણ આ દરમિયાન અક્ષય કુમાર ક્યાંય જોવા ન મળ્યો.

ગેસ્ટ લિસ્ટમાં નામ સામેલ હોવા થતાં ગેરહાજર રહ્યો અક્ષય કુમાર

મળતી માહિતી પ્રમાણે ગેસ્ટ લિસ્ટમાં પણ અક્ષય કુમારનું નામ હતું. પણ તે દેશની બહાર હોવાને કારણે આ સમારંભમાં સામેલ થઇ શક્યો ન હતો. આ સિવાય ત્રણેય ખાન (સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન) પણ પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં સામેલ થઇ શક્યા નહીં. જો કે ત્રણે ખાનના સામેલ ન થવા પાછળનું કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી મળી નથી.

આ સિતારાઓ થયા સામેલ

પીએમ મોદીના શપથગ્રહણ સમારોહમાં કંગના રનૌત, કરણ જોહર, દિવ્યા ખોસલા, અનુપમ ખેર, અનિલ કપૂર, રાજકુમાર હિરાની, આનંદ એલ રાય, શાહિદ કપૂર, મીર કપૂર સહિત કપિલ શર્મા, બોની કપૂર સહિત કેટલાય સિતારાઓ પહોંચ્યા હતા. શપથ ગ્રહણ સમારંભ દરમિયાન બધાની ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો : PM Modiના શપથગ્રહણ સમારોહમાં ભીડમાં ફસાઇ આશા ભોસલે, સ્મૃતિએ કરી મદદ

થોડાંક દિવસ પહેલા જ અક્ષય કુમારે લીધો પીએમ મોદીનો ઇન્ટરવ્યુ

24 એપ્રિલના બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે પીએમ મોદીનો ઇન્ટરવ્યુ લીધો હતો. તે ઇન્ટરવ્યુને સંપૂર્ણપણે અરાજકારણીય જણાવવામાં આવ્યું હતું. જોકે અક્ષય આ ઇન્ટરવ્યુ પછી ટ્રોલ થયો હતો. એવામાં આશા હતી કે અક્ષય કુમાર પીએમ મોદીના શપથગ્રહણ કાર્યક્રમમાં સામેલ થશે.

akshay kumar narendra modi bollywood bollywood news bollywood gossips bollywood events national news