26 January, 2021 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયશ્રી રમૈયા
કન્નડ ઍક્ટ્રેસ જયશ્રી રમૈયાએ ગઈ કાલે સુસાઇડ કર્યું હતું. તેણે ગઈ કાલે સંધ્યા કિરણ ઓલ્ડ એજ હોમ અને રીહૅબિલિટેશન સેન્ટરમાં સુસાઇડ કર્યું હતું. મદનયાકનાહાલી પોલીસ સ્ટેશનમાં આ વિશે કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. જયશ્રીની નજીકના લોકોએ જણાવ્યું હતું કે તે ડિપ્રેશનમાં હતી અને રીહૅબિલિટેશન સેન્ટરમાં તેની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. કન્નડ ‘બિગ બૉસ’ દ્વારા ફેમ મેળવનાર જયશ્રી મૉડલમાંથી ઍક્ટર બની હતી. 25 જુલાઈએ જયશ્રીએ ફેસબુક પર લાઇવ જઈને કહ્યું હતું કે નાણાકીય રીતે સ્થિર છે, પરંતુ ડિપ્રેશનને કારણે સ્ટેબલ નથી. તે ડિપ્રેશનની સામે નહોતી લડી શકી. સોમવારે તેણે તેની ફૅમિલી અને ફ્રેન્ડ્સના ફોન ન ઉઠાવતાં રીહૅબિલિટેશન સેન્ટરનો તેમણે કૉન્ટૅક્ટ કર્યો હતો. તેમણે રૂમમાં જઈને જોયું તો તેણે સુસાઇડ કરી લીધું હતું.