19 September, 2020 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ
કંગના રનોટનું કહેવું છે કે તે કદી પણ ઝઘડાની શરૂઆત નથી કરતી અને જો કોઈ એ સાબિત કરી આપે તો તે ટ્વિટર છોડી દેશે. હાલમાં બૉલીવુડ અને કંગના આમને-સામને આવી ગયા છે. તે સતત ટ્વિટર પર શાબ્દિક વાર કરી રહી છે. ટ્વિટર પર કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા વિશે કહેવામાં આવે છે કે હું ‘લડાકુ’ છું, પરંતુ એ ખોટું છે. મારો રેકૉર્ડ છે કે મેં કદી પણ લડાઈની શરૂઆત નથી કરી. જો કોઈ એ વાતને સાબિત કરી દે તો હું ટ્વિટર છોડી દઈશ. હું કદી પણ લડાઈ શરૂ નથી કરતી, પરંતુ એને પૂરી કરું છું. ભગવાન ક્રૃષ્ણએ કહ્યું છે કે જો કોઈ તમને લડાઈ માટે ઉકસાવે તો ના ન પાડવી જોઈએ.’