૯ જ્યોતિર્લિંગનાં દર્શન કરી લીધાં કંગનાએ, બાકીનાં ત્રણનાં દર્શન ડિસેમ્બર પૂરો થાય એ પહેલાં

24 December, 2025 12:38 PM IST  |  Jharkhand | Gujarati Mid-day Correspondent

મંદિરનાં દર્શન કર્યા બાદ કંગનાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે....

ગઈ કાલે ઝારખંડના દેવઘરમાં આવેલા વૈદ્યનાથ જયોતિર્લિંગનાં દર્શન કર્યાં હતાં કંગના રનૌતે

ઍક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશના મંડીની BJPની સંસદસભ્ય કંગના રનૌતે હાલમાં ઝારખંડના દેવઘરસ્થિત વૈદ્યનાથ જ્યોતિર્લિંગ તેમ જ વાસુકિ ધામનાં દર્શન કર્યાં. તેણે આ પવિત્ર જ્યોતિર્લિંગ ધામમાં વિધિવિધાન સાથે પૂજા-અર્ચના કરી અને મહાદેવના આશીર્વાદ મેળવ્યા. કંગનાએ તેની આધ્યાત્મિક યાત્રાની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ તસવીરો સાથે કંગનાએ કૅપ્શન લખી છે કે ‘આજે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ અને વાસુકિ ધામનાં દર્શન કર્યાં. આ મારું નવમું જ્યોતિર્લિંગ દર્શન છે, હજી ત્રણ બાકી છે. ડિસેમ્બર મહિનો પૂરો થાય એ પહેલાં તમામ ૧૨ જ્યોતિર્લિંગોનાં દર્શન પૂર્ણ કરવાનો ઇરાદો છે.’

મંદિરનાં દર્શન કર્યા બાદ કંગનાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે ‘મેં પહેલી વખત અહીં પ્રાર્થના કરી છે. હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી અને ધન્ય અનુભવું છું. મારી ઇચ્છા છે કે મને વારંવાર અહીં આવવાનો અવસર મળે. મેં બાબા પાસે તમામ લોકોનાં સુખ-સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી છે.’

kangana ranaut jharkhand entertainment news bollywood bollywood news