બૉલીવુડ સેલેબ્સ પર ભડકી કંગના, જ્યારે સાધુઓની હત્યા થઈ ત્યારે ચુપ કેમ?

03 June, 2020 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલીવુડ સેલેબ્સ પર ભડકી કંગના, જ્યારે સાધુઓની હત્યા થઈ ત્યારે ચુપ કેમ?

ફાઈલ તસવીર

અમેરિકન પોલીસની નિર્દયતાનો શિકાર બનેલા જ્યોર્જ ફ્લોયડના મૃત્યુથી અમેરિકામાં સતત દેખાવો અને તોફાનો થઈ રહ્યાં છે. દેશના કેટલાક શહેરોમાં તો ક્ફર્યૂ પણ લગાડવામાં આવ્યો છે. છતા પણ લોકો રસ્તા પર આવીને દેખાવો કરી રહ્યાં છે અને હકની માંગણી કરી રહ્યાં છે. અમેરિકા સિવાય અન્ય દેશોમાં પણ અમેરિકન પોલીસની નિર્દયતા વિરુધ્ધ પ્રર્દશનો થઈ રહ્યાં છે. ભારતમાં પ્રિયંકા ચોપડા, કરીના કપૂર સહિત અનેક બૉલીવુડ સેલેબ્ઝે પણ અવાજ ઉઠાવ્યો છે અને આ દુર્ઘટનાની નિંદા કરી છે. ત્યારે બૉલીવુડની કોન્ટ્રોવર્સી ક્વિન તરીકે ઓળખાતી કંગના રનોટ બૉલીવુડ સેલેબ્ઝ પર ભડકી ગઈ છે અને તેમને પ્રશ્ન કર્યો છે કે, જ્યારે થોડાક દિવસો પહેલા સાધુઓ મૉબ લિન્ચિંગનો શિકાર બન્યા હતા ત્યારે સેલેબ્ઝ ચુપ કેમ હતા?

જ્યોર્જ ફ્લોયડના મૃત્યુની દુર્ધટના બાબતે પિન્કવિલા સાથે વાત કરતા કંગનાએ કહ્યું હતું કે, થોડાક અઠવાડિયા પહેલા સાધુઓ સાથે મૉબ લિન્ચિંગની દુર્ઘટના થઈ હતી. સાધુની મારપીટ કરીને તેમને મારી નાખવામાં આવ્યા હતા ત્યારે સેલેબ્ઝ એક શબ્દ પણ બોલ્યા નહોતા. જ્યારે આ દુર્ઘટના તો મહારાષ્ટ્રમાં જ થઈ હતી. બૉલીવુડના સેલિબ્રિટીઝ ફૅમ માટે વહેતી ગંગામાં હાથ ધોઈ નાખે છે.

કંગનાએ વધુમાં કહ્યું હતું કે, પર્યાવરણના મુદ્દે પણ સેલેબ્ઝ ફક્ત વ્હાઈટ લોકોને જ સપોર્ટ કરે છે. જ્યારે આપણા દેશમાં અનેક લોકો છે જે પર્યાવરણ માટે બહુ ઉત્તમ કાર્ય કરે છે એ પણ કોઈની મદદ કે સપોર્ટ વગર. એમાંથી કેટલાક લોકોનું પદ્મશ્રીથી સન્માન પણ કરવામાં આવ્યું છે. પરંતુ ઈન્ડસ્ટ્રી ક્યારે તેમને સપોર્ટ નથી કરતી. કદાચ સાધુ અને આદિવાસી લોકો બૉલીવુડ અને તેના ફેન્સ માટે મહત્વના નથી એટલે તેમની તરફ ધ્યાન જ નથી હોતુ. કંગના અત્યારે તેના પરિવાર સાથે મનાલીમાં છે.

entertainment news bollywood bollywood news bollywood gossips kangana ranaut